251 વર્ષ બાદ રક્ષાબંધન પર બનશે આ દુર્લભ યોગ- આ 4 રાશિના જાતકોની ચમકશે કિસ્મત

Raksha bandhan: આ વર્ષે 30 અને 31 ઓગસ્ટના રોજ રક્ષાબંધન ઊજવવામાં આવશે. દર વર્ષે ની જેમ શ્રાવણ માસની પૂનમના દિવસે રક્ષાબંધન ઊજવવામાં આવે છે. રક્ષાબંધનનો(Raksha bandhan) તહેવાર ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ દિવસે બહેન તેના ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ તેની બહેનને રક્ષાનું વચન પણ આપે છે.

આ વર્ષે રક્ષાબંધનનો તહેવાર ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. આ વર્ષે રક્ષાબંધન પર ભદ્રા રહેશે અને સર્વાર્થ સિદ્ધિ જેવો શુભ યોગ બનશે. 30 ઓગસ્ટના રોજ ભદ્રા રહેશે. આ કારણોસર 31 ઓગસ્ટના રોજ સવારે રાખડી બાંધવામાં આવશે. રક્ષાબંધન કઈ રાશિના જાતકો માટે શુભ સાબિત થશે, તે અંગે અહીંયા જણાવવામાં આવી રહ્યું છે.

મેષ-
મેષ રાશિના લોકો માટે રક્ષાબંધન શુભ સાબિત થશે. વેપારમાં તેજી આવશે. જે પણ કામ અટક્યું છે તે પૂર્ણ થશે. કાર્યક્ષેત્રમાં વધુ લાભ થશે.

કન્યા-
નોકરી અને પ્રમોશનની તકો બની રહી છે. સરકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે. સમાજમાં માન-સન્માન મળશે. પરિવારના સભ્યો સાથે સંબંધ મજબૂત રહેશે.

મકર-
વેપાર ખૂબ જ સારો ચાલશે. નોકરિયાત વર્ગથી લાભ થશે. તમામ રાજકીય મુદ્દાઓ ઉકેલાશે. વિદેશ પ્રવાસની સંભાવના છે, જે લાભદાયક રહેશે. ઓફિસમાં ધનલાભ થશે.

મીન-
જે પણ પૈસા અટવાયેલા હશે તે પરત મળશે. વેપારમાં લાભ થશે. નવો ધંધો શરૂ કરવો ફાયદાકારક રહેશે. ભાગીદારીથી પણ ફાયદો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *