સુરત: દિનદહાડે ગૃહિણીના ગળામાંથી સ્નેચરો ચેઈન લૂંટી થયા ફરાર

સુરત શહેરના સીટીલાઇટ વિસ્તારની લોકભારતી સ્કુલના ગેટ પાસેથી મોપેડ પર પસાર થઇ રહેલી ગૃહિણીના ગળામાંથી મોટરસાઇકલ સવાર ત્રણ ચેઇન સ્નેચરો રૂા.40 હજાર મત્તાની સોનાની ચેઇન આંચકીને ભાગી ગયા હતા. ઉમરા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે સ્નેચરોની શોધખોળ હાથ ધરી છે.

સીટીલાઇટ રોડ સ્થિત તેરાપંથ ભવનની બાજુમાં એંજલ રેસીડેન્સીમાં રહેતી ગૃહિણી વૈશાલીબેન જયેશ દોષી (ઉ.વ. 45) ગત રોજ બપોરના અરસામાં ઘરેલું કામકાજ માટે જઇ રહ્યા હતા. તે દરમ્યાનમાં સીટીલાઇટ રોડ લોકભારતી સ્કુલના ગેટ પાસેથી મોપેડ પર પસાર થઇ રહ્યા હતા ત્યારે નજીકમાં મોટરસાઇકલ લઇને ઉભેલા ત્રણ સ્નેચરોએ મોટરસાઇકલ હંકારીને વૈશાલીબેનની નજીક ધસી ગયા હતા અને ગળામાં પહેરેલી સોનાની ચેઇન કિંમત રૂા. 40 હજાર મત્તાની આંચકીને ભાગી ગયા હતા.

ઘટના અંગે વૈશાલીબેને ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ત્રણ પૈકી એક સ્નેચરે આખી બાયનું ટી-શર્ટ અને બીજાએ સફેદ કલરનો શર્ટ જયારે મોટરસાઇકલ ચાલકે કેસરી કલરનું ટી-શર્ટ પહેરેલું હતું. પોલીસે સ્થાનિક વિસ્તારના સીસીટીવી ફુટેજના આધારે સ્નેચરોની શોધખોળ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *