દીકરીને જીવતી કાપી નાખી છતાં કળિયુગી માબાપના ચહેરા પર નથી પસ્તાવો- જુઓ શું બોલી રહ્યા છે ધૈર્યા ના મમ્મી…

ધૈર્યા હત્યાકાંડ ગુજરાતમાં ચારે બાજુ ચર્ચાનો વિષય બન્યો છે. અંધશ્રદ્ધાની આડમાં 14 વર્ષીય દીકરીની બલી ચડાવનાર પરિવારને દીકરી ધૈર્યાની મોતનો થોડો પણ પસ્તાવો નથી. આવા…

ધૈર્યા હત્યાકાંડ ગુજરાતમાં ચારે બાજુ ચર્ચાનો વિષય બન્યો છે. અંધશ્રદ્ધાની આડમાં 14 વર્ષીય દીકરીની બલી ચડાવનાર પરિવારને દીકરી ધૈર્યાની મોતનો થોડો પણ પસ્તાવો નથી. આવા સમય વચ્ચે દીકરી ધૈર્યાની માતાનો વિડીયો સામે આવ્યો છે. જેમાંથી ધૈર્યાની માતા બોલી રહ્યા છે કે, ‘મને પૂરી શ્રદ્ધા છે મારા પતિ અને પરિવાર ઉપર… પછી આ કોઈ સવાલ જ ના ઊભો થાય.’

વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, દીકરી ધૈર્યાને જીવતી કાપી નાખ્યા બાદ પણ કળિયુગિ માતા-પિતાને થોડો પણ પસ્તાવો દેખાઈ રહ્યો નથી. ધૈર્યાની મમ્મી જણાવે છે કે, ‘જે થયું એ બરાબર થયું. મને મારા પતિ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો, અને મેં જ આવું કરવા મારા પતિને મંજુરી આપી હતી’.

વિડીયો જોતા લાગી રહ્યું છે કે, ધર્યાની મમ્મી વાતનો સરખો જવાબ આપી શકતા નથી અથવા આપવા માંગતા નથી. વધુમાં તેઓ જણાવે છે કે, ‘હવે શું રહ્યું દુનિયામાં અમારું… એકની એક દીકરી હતી અને મારા કરતા તો મારા પતિને ધૈર્યા વધુ વ્હાલી હતી’.

પિતાને સાત ગણી વ્હાલી હતી દીકરી…
ધૈર્યાની મમ્મી જણાવે છે કે, ‘મારા કરતા મારા પતિને ધાર્યા સાત ગણી વધારે વ્હાલી હતી. છતાં મેં જ મારા પતિને આવું કરવા મંજુરી આપી હતી.’ હાલ આ ઘટના અંગે લોકો અનેક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ધૈર્યા સાથે થયેલી ક્રુરતા લોકો વચ્ચે આવતા લોકોમાં આક્રોશ છવાયો છે. લોકો આ હેવન પિતા અને તેના મોટા બાપુજી સામે કડકમાં કડક પગલા લેવાય તેવી માંગ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *