શિવસેનાના દિગ્ગજ નેતાની ગોળી મારી હત્યા- કારણ જાણીને ફફડી ઉઠશો

શિવસેના(Shiv Sena)ના નેતા સુધીર સૂરી(Sudhir Suri)ની શુક્રવારે અમૃતસર(Amritsar)માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોપાલ મંદિર(Gopal Temple)ની બહાર કચરામાંથી ભગવાનની મૂર્તિઓ મળી આવી હોવાના વિરોધમાં…

શિવસેના(Shiv Sena)ના નેતા સુધીર સૂરી(Sudhir Suri)ની શુક્રવારે અમૃતસર(Amritsar)માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગોપાલ મંદિર(Gopal Temple)ની બહાર કચરામાંથી ભગવાનની મૂર્તિઓ મળી આવી હોવાના વિરોધમાં શિવસેનાના નેતાઓ મંદિરની બહાર ધરણા પર બેઠા હતા. આ દરમિયાન ભીડમાંથી કોઈએ તેને ગોળી મારી દીધી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. તેમની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સાથે જ પોલીસે તાત્કાલિક નાકાબંધી કરી હુમલાખોર સંદીપ સિંહની ધરપકડ કરી હતી.

સુધીર સૂરી શિવસેના હિન્દુસ્તાનના વડા રહી ચૂક્યા છે. તેમના પર બે થી ત્રણ ગોળીઓ ચલાવવામાં આવી છે. એવુ જાણવા મળે છે કે સુધરી સુરી પર હુમલો કરવાની છેલ્લા કેટલાક સમયથી યોજના ઘડવામાં આવી રહી હતી. પોલીસે ગયા મહિને કેટલાક ગેંગસ્ટરોની ધરપકડ પણ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ આ વાતનો ખુલાસો કર્યો હતો.

પોલીસે 4 ગેંગસ્ટરની ધરપકડ કરી હતી:
પંજાબમાં, એસટીએફ અને અમૃતસર પોલીસે ગયા મહિને 23 ઓક્ટોબરના રોજ સંયુક્ત ઓપરેશનમાં 4 ગેંગસ્ટરોની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા ગેંગસ્ટરો રિંડા અને લિંડાના ગુલામ હતા. તેમની પૂછપરછમાં સનસનીખેજ ખુલાસા સામે આવ્યા છે.

ધરપકડ કરાયેલા ગુંડાઓ શિવસેનાના નેતા સુધીર સૂરી પર હુમલાની યોજના બનાવી રહ્યા હતા. આ માટે તેણે રેકી પણ કરી હતી. તેઓ ગુનાને અંજામ આપે તે પહેલા જ પોલીસ અને એસટીએફે ચારેયને પકડી લીધા હતા. આરોપીઓએ એવી પણ કબૂલાત કરી હતી કે સુરતી પર હુમલો દિવાળી પહેલા કરવાનો હતો. આ ગુંડાઓની ધરપકડથી પંજાબમાં મોટી ઘટના ટળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *