કોરોનાને લઈને સૌથી મોટો ખુલાસો- પોઝીટીવ લોકોના શરીરમાં જોવા મળી રહ્યા છે આ નવા લક્ષણો

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે એક નવી જ જાણકારી સામે આવી રહી છે. કોરોના વાયરસનાં સંક્રમણથી સાંભળવાની શક્તિમાં પણ ઘટાડો થાય છે. હાલનાં…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે એક નવી જ જાણકારી સામે આવી રહી છે. કોરોના વાયરસનાં સંક્રમણથી સાંભળવાની શક્તિમાં પણ ઘટાડો થાય છે. હાલનાં સંશોધન પ્રમાણે કુલ 8માંથી 1 કોરોના ચેપગ્રસ્ત દર્દીમાં સાંભળવાની શક્તિ ઓછી થઈ શકે છે.

માન્ચેસ્ટર યુનિવર્સિટીના ઓડિઓલોજિસ્ટે કુલ 121 પુખ્ત વયનાં લોકો પર પણ એક અભ્યાસ કર્યો હતો, કે જેમને કોરોના વાયરસ ચેપને કારણે વીથેનશાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અધ્યયન કરતી વખતે જ્યારે પ્રતિભાગિયોથી તેમનાં સાંભળવાની ક્ષમતા વિશે પૂછવામાં આવ્યું તો કુલ 16 લોકોએ કહ્યું હતું કે, ડિસ્ટાર્ઝ થયાનાં કુલ 2 મહિના પછી એમની સાંભળવાની શક્તિ ખુબ જ ઓછી થઇ ગઇ હતી. કુલ 8 લોકોએ ખુબ જ ખરાબ સ્થિતિ તેમજ ટિનીટસની પણ ફરિયાદ કરી હતી.

ટિનીટસ એ એક એવી સ્થિતિ છે, કે જેમાં કાનમાં કંઇક વાગવાનો અવાજ આવે છે. શોધકર્તાઓએ જણાવ્યું હતું કે મિજલ્સ, મંપ્સ તેમજ મેનિનજાઇટિસનાં વાયરસથી પણ સાંભળવાની શક્તિમાં ઘટાડો થાય છે. વ્યક્તિને સંક્રમિત કરનાર બીજાં કોરોના વાયરસ એ મહત્વપૂર્ણ તંત્રિકાઓને પણ ખુબ જ નુક્સાન પહોંચાડે છે,

જે મસ્તિષ્ક તેમજ કાનની વચ્ચે માહિતીનું આદાન-પ્રદાન કરે છે. શોધકર્તા પ્રોફેસર કેવિન મુનરોએ જણાવતાં કહ્યું કે, એ શક્ય છે કે, કોવિડ-19 શ્રવણ પ્રણાલીને ઘણું નુક્સાન પહોંચાડે છે, ખાસ કરીને તો કાનનાં મધ્ય ભાગમાં જ. આ ભાગ એક ટ્યૂબ માફક હોય છે, જે કાનનાં પડદાથી સાંભળનાર તંત્રિકા તેમજ ગળા સુધી લઈ જાય છે.

આ શોધને ઇન્ટરનેશનલ જર્નલ ઓફ ઓડિયોલોજીમાં પ્રકાશિત પણ કરવામાં આવી છે. આ શોધનાં નિષ્કર્ષોથી જાણવા મળી રહ્યું છે કે, કોવિડ-19 સાંભળવાની ક્ષમતાને ઘણાં સમય સુધી પ્રભાવિત પણ કરે છે. મેનેચેસ્ટર વિશ્વવિદ્યાલયનાં શોધકર્તાઓનું જણાવવું છે કે, વાયરસ તથા સાંભળવાની મુશ્કેલીની વચ્ચે શું સંબંધ રહેલો છે.

તેની ઓળખ કરવામાં સક્ષમ હોવા માટે પણ વધુ અધ્યયન કરવાની જરૂર રહેલી છે. પ્રોફેસર મુનરોએ જણાવતાં કહ્યું, જે લોકોને પહેલેથી સાંભળવામાં તકલીફ પડે છે, એમના માટે કોવિડ-19 ગંભીર એવું દુષ્પરિણામ ઉતપન્ન કરી શકે છે. તેથી, આવા લોકોમાં તણાવ તેમજ ભય પણ ખુબ જ વધી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *