જીવતા હતા ત્યારે કોઈએ પ્રેમ સ્વીકાર્યો નહિ, આપઘાત કર્યો ત્યારે પ્રતિમા બનાવડાવી પ્રેમી પંખીડાના ધામધૂમથી લગ્ન કરાવ્યા

છેલ્લા ઘણા સમયથી પ્રેમના કારણે અનેક યુગલોએ આપઘાત કરી જીવન ટુકાવ્યું છે. પરિવાર દ્બારા છોકરા અથવા છોકરીને પ્રેમ લગ્નની પરવાનગી ન મળતા બંને એકસાથે જીવન…

છેલ્લા ઘણા સમયથી પ્રેમના કારણે અનેક યુગલોએ આપઘાત કરી જીવન ટુકાવ્યું છે. પરિવાર દ્બારા છોકરા અથવા છોકરીને પ્રેમ લગ્નની પરવાનગી ન મળતા બંને એકસાથે જીવન ટૂંકાવે છે. હાલ એવી ઘટના સામે આવી છે, જેના વિષે જાણી તમે તદ્દન આશ્ચર્યમાં પડી જશો. વાત્સવમાં ગામજનોએ યુવક યુવતીની પ્રતિમા બનાવી તેમના ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા.

તમે જોઈ શકશો કે બે પ્રતિમાના રીત-રિવાજથી લગ્ન કરાવવામાં આવી રહ્યા છે. આ ઘટના તાપી જિલ્લામાં આવેલા નિઝરના નવા નેવાળાની છે. નવા નેવાળા ગામાં અનોખા લગ્ન કરવામાં આવ્યા હતા. આ ગામમાં બે પ્રતિમાના રીત-રિવાજ સાથે લગ્ન કરવામાં આવ્યા હતા.

મળેલી માહિતી અનુસાર એક યુગલને ઘરેથી પ્રેમ લગ્ન કરવાની પરવાનગી ન મળતા બંને પ્રેમી પંખીડાએ ગળેફાંસો ખાઈ મોતને વ્હાલુ કર્યુ હતુ. બંનેએ સાથે જ આપઘાત કર્યો હતો. આ પ્રેમી પંખીડાની આત્માને શાંતિ મળે તે માટે ગ્રામજનોએ બંનેની પ્રતિમા બનાવી અને વિધિસર લગ્ન કરાવ્યા હતા.

ગામના લોકોએ છોકરાની જાન પણ કાઢી હતી. આ લગ્નમાં ભોજન સમારંભ પણ યોજાયો હતો. બંને પ્રેમી પંખીડાના મૃત્યુના લગભગ એક વર્ષ બાદ પરિવારજનોએ મૃતક યુવક અને યુવતીની પ્રતિમા બનાવી હતી અને આદિવાસી રીત રિવાજથી લગ્ન કરાવી દીધી છે.

પરિવારજનોએ બંને પ્રેમી પંખીડાને ઠપકો આપ્યો હતો. તેથી માઠું લાગી જતા બંનેએ એક સાથે ઝાડની ડાળીએ લટકીને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. બંને પ્રેમી પંખીડાના પરિવારજનો અને ગામવાસીઓએ બંનેની પ્રતિમાનાં લગ્ન કરાવીને તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *