30 દિવસ રહ્યો વેન્ટિલેટર પર, હ્રદય થયું ફેલ, તેમ છતાં મોતને હરાવી બચી ગયો

કોરોનાવાયરસ થી પિડીત ૩૧ વર્ષનો યુવક ૩૦ દિવસ સુધી વેન્ટિલેટર પર રખાયા બાદ ચમત્કારિક રીતે સાજો થઈ ગયો. આ દરમિયાન યુવકને ડબલ્યુ ન્યૂમોનીયા, હાર્ટ ફેઇલ…

કોરોનાવાયરસ થી પિડીત ૩૧ વર્ષનો યુવક ૩૦ દિવસ સુધી વેન્ટિલેટર પર રખાયા બાદ ચમત્કારિક રીતે સાજો થઈ ગયો. આ દરમિયાન યુવકને ડબલ્યુ ન્યૂમોનીયા, હાર્ટ ફેઇલ અને બે વખત હુમલો પણ આવી ચૂક્યો છે. ડોક્ટરોએ પત્નીને કહી દીધું હતું કે તેનો જીવ નથી બચવાનો.

આ મામલો બ્રિટનના એસેક્સનો છે. બે બાળકોના પિતા ઉમર ટેલર એક હેલ્થ કેર કંપનીમાં રીજનલ ડાયરેક્ટર છે.કોરોનાથી પિડીત થયા બાદ તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે હોસ્પિટલે તેના પરિવારને સૌથી ખરાબ સ્થિતિમાં રહેવા માટે કહી દેવામાં આવ્યું. ડોક્ટરે ઉમરને એ પણ કહી દીધું કે તેઓ ક્યારેય પણ પોતાના પગે ચાલી નહિ શકે. પરંતુ તેઓ પોતાના પગ પર જ ચાલતા હોસ્પિટલમાંથી બહાર નીકળ્યા.

ઉમર ઠીક થઈ ગયા બાદ જ્યારે ઘરે પહોંચ્યા તો પાડોશીઓએ તાળી વગાડી તેનું સ્વાગત કર્યું.તેની 30 વર્ષીય પત્ની કેટલી ટેલરે mailonline થી કહ્યું કે પહેલા અમને જણાવવામાં આવ્યું હતું કે તેનું મૃત્યુ થઈ ગયું છે. પછી કહેવામાં આવ્યું કે તેઓ ક્યારેય ચાલી નહિ શકે. તેના સાજા થવું એ સંપૂર્ણ રીતે ચમત્કાર છે.

કેટલીને કહ્યું કે તેના બીજા દીકરાના બર્થ ડેના અવસરે કરાવવાનું નક્કી કર્યું હતું અને તેવું કરી બતાવ્યું. ઉમર નો ઈલાજ લગભગ આઠ અઠવાડિયા સુધી ચાલ્યો જે દરમિયાન 30 દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *