કોરોના સામેની લડાઈમાં મળી સફળતા, ૨૪ કલાકમાં ૧૦૦૦ થી વધારે દર્દીઓ થયા સાજા

કોરોનાવાયરસના  સંક્રમણને ફેલાવાથી રોકવા માટે દેશમાં જાહેર કરવામાં આવેલો lockdown નું ત્રીજું ચરણ આજે સોમવાર થી બે અઠવાડિયા સુધી વધારવામાં આવ્યું છે.lockdown વધારવાની સાથે નવી…

કોરોનાવાયરસના  સંક્રમણને ફેલાવાથી રોકવા માટે દેશમાં જાહેર કરવામાં આવેલો lockdown નું ત્રીજું ચરણ આજે સોમવાર થી બે અઠવાડિયા સુધી વધારવામાં આવ્યું છે.lockdown વધારવાની સાથે નવી ગાઇડલાઇન્સ જાહેર કરતાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે કેટલીક ગતિવિધિઓ પર દેશવ્યાપી રોક લાગેલી રહેશે.જ્યારે સ્વાસ્થ્ય મંત્રાલય કહ્યું છે કે છેલ્લા ૨૪ કલાકમાં એક હજારથી વધારે લોકો કોરોનાથી સાજા થઇ ચુક્યા છે અને જે એક રેકોર્ડ છે.

સ્વાસ્થ્ય મંત્રાલય ગૃહ મંત્રાલય સાથે કરેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અત્યાર સુધી કુલ 42, 533 દર્દીઓ છે. જેમાંથી 29453 એક્ટિવેટ છે. છેલ્લા ૨૪ કલાકમાં 2553 કેસ વધ્યા છે.

જોકે સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ અગ્રવાલ એ જણાવ્યું છે કે મોટી સંખ્યામાં લોકો કોરોના થી સાજા થઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં 1074 લોકો કોરોનાથી સાજા થઈ ગયા છે. જે અત્યાર સુધીમાં એક રેકોર્ડ છે. કુલ મળીને દેશમાં કોરોના થી 11704 લોકો સાજા થઇ ચુક્યા છે. સાથે-સાથે રિકવરી રેટ પણ વધ્યો છે જે ૨૭ ટકાથી વધીને 27.5 ટકા પહોંચી ચૂક્યો છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ અગ્રવાલે કહ્યું છે કે જે પ્રકારે lockdown માં ધીરે ધીરે ઢીલ આપવામાં આવી રહી છે તે પ્રમાણે જરૂરી છે કે કડક પગલાં પણ લેવામાં આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *