પોલીસની એક ભૂલે IAS ની તૈયારી કરી રહેલા આશિષની જિંદગી બરબાદ કરી નાખી, યુવકે ભર્યું એવું ખૌફનાક કદમ કે…

Suicide of a youth preparing for IAS: જ્યાં એક તરફ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) પોલીસ માફિયાઓ અને ગુનેગારો પર કડક કાર્યવાહી કરી રહી છે, તો બીજી તરફ યુપી પોલીસના કેટલાક પોલીસકર્મીઓ યુપી પોલીસની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડતા અટકી રહ્યા નથી. રાજ્યની રાજધાની લખનૌથી તાજેતરનો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવક IAS ઓફિસર બનવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યો હતો. પરંતુ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. યુવકે કથિત રીતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. (IAS youth Suicide) આપઘાત કરતા પહેલા યુવકે મુકેલી સુસાઈડ નોટે હગામો મચાવી દીધી હતી.

હકીકત માં મૃતકે સુસાઈડ નોટમાં પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. મૃતકનો આરોપ છે કે પોલીસે તેની સામે ખોટો કેસ નોંધ્યો છે, જેના કારણે તે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે. સુસાઈડ નોટની નોંધ લેતા પોલીસ અધિકારીઓએ 3 સબ ઈન્સ્પેક્ટર સહિત એક કોન્સ્ટેબલને લાઈનમાં મુક્યા છે. મામલાની ગંભીરતાને જોતા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.

22 વર્ષીય આશિષનું સપનું IAS બનવાનું હતું
આ સમગ્ર મામલો લખનઉના રહીમાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીં રહેતા આશિષ કુમાર માત્ર 22 વર્ષના હતા. તે સિવિલ સર્વિસની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આશિષે કથિત રીતે પોતાના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી અનુસાર, આશિષે આપઘાત કરતા પહેલા એક ચિઠ્ઠી પણ મૂકી છે, જેમાં તેણે પોલીસકર્મીઓ દ્વારા બનાવટી કેસ નોંધવા બદલ દુઃખી થતાં આત્મહત્યા કરવાની વાત કરી છે.

આ મામલે મૃતકની માતા સુશીલા દેવીએ પોલીસ અધિકારીઓને સામે FIR નોધાવી છે. FIRમાં જણાવ્યા મુજબ મૃતકના પિતા મહાદેવનો ગામના નંદુ વિશ્વકર્મા સાથે 2018થી કેસ ચાલી રહ્યો હતો. જ્યાં કેસ નોંધાયો હતો તે પોલીસ સ્ટેશન બદલાઈ ગયું છે. આ પછી શ્યામલાલ નામના વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં અમારી વિરુદ્ધ બનાવટી ઘટના દર્શાવતો નકલી ફરિયાદ પત્ર આપ્યો હતો.

જે બાદ રાજમણિ પાલ, લાલન પાલ અને મોહિત શર્મા સહિતના જય બાબા પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને સબ-ઇન્સ્પેક્ટરોએ મામલો હળવો કરવા અમારી પાસેથી 5000 રૂપિયાની માંગણી કરી હતી. અમે પૈસા ન આપી શકતાં પોલીસે પુત્રો આશિષ અને મયંક સામે ગુનો નોંધ્યો હતો.

સુસાઈડ નોટમાં શું લખ્યું હતું
મૃતકની માતાના જણાવ્યા મુજબ, તેનો પુત્ર આશિષ આનાથી ખૂબ જ દુઃખી અને અપમાનિત થવા લાગ્યો અને તેણે ઘરના રૂમમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક આશિષે સ્યુસાઈડ નોટમાં સ્પષ્ટ લખ્યું છે કે સબ ઈન્સ્પેક્ટર લાલન પાલ અને મોહિત શર્માએ મને ખોટા કેસમાં ફસાવ્યો હતો. જેના કારણે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. મારી આત્મહત્યાનું મુખ્ય કારણ નંદુ વિશ્વકર્મા અને પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ છે.

પોલીસ અધિકારીઓએ શું કહ્યું
ડીજીપી સાઉથ ઝોન રાહુલ રાજે આ સમગ્ર મામલે કહ્યું કે, આ સમગ્ર મામલાની નોંધ લેવામાં આવી છે. કેસની તપાસ ચાલી રહી છે. જે પોલીસકર્મીઓ સામે આક્ષેપ કરવામાં આવ્યો છે તેમને લાઇનમાં લાવવામાં આવ્યા છે. આ મામલે તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. મામલાની ગંભીરતા સાથે તપાસ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *