BREAKING NEWS: જમ્મુ-કાશ્મીરના બારામુલમાં આંતકી હુમલો, 2 CRPF જવાન સહીત 4 લોકો ઈજાગ્રસ્ત

બુધવારે એટલે કે આજ રોજ સવારે જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir)ના બારામુલા(Baramulla) જિલ્લાના પલહાલન ચોક ખાતે આતંકવાદીઓએ CRPFની ટીમને નિશાન બનાવીને ગ્રેનેડ(Grenade) ફેંક્યો હતો. જેમાં…

બુધવારે એટલે કે આજ રોજ સવારે જમ્મુ અને કાશ્મીર(Jammu and Kashmir)ના બારામુલા(Baramulla) જિલ્લાના પલહાલન ચોક ખાતે આતંકવાદીઓએ CRPFની ટીમને નિશાન બનાવીને ગ્રેનેડ(Grenade) ફેંક્યો હતો. જેમાં બે જવાન અને બે નાગરિક ઘાયલ થયા હતા. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. હુમલાખોરોને પકડવા માટે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

મળતી માહિતી મુજબ, સવારે સીઆરપીએફની ટીમ આ વિસ્તારના ચોકમાં રૂટીન ડ્યુટી આપી રહી હતી. આ દરમિયાન આતંકવાદીઓ એક વાહન પર આવ્યા હતા. ચાલતી વખતે તેણે સૈનિકો પર ગ્રેનેડથી હુમલો કર્યો. ઘટનાસ્થળે હાજર બે જવાન અને બે નાગરિક આ બ્લાસ્ટની ઝપેટમાં આવી ગયા હતા. બ્લાસ્ટના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બાકીના જવાનોએ તરત જ ઘાયલોને ઉપાડીને હોસ્પિટલ મોકલી દીધા. જે બાદ વધારાના સૈનિકો ઘટનાસ્થળે આવ્યા અને સમગ્ર વિસ્તારને ઘેરી લીધો.

નાકા પર વાહનોની તપાસ કરવામાં આવી હતી કારણ કે હુમલા પછી આતંકવાદીઓ સ્થળ પરથી ભાગી ગયા હતા. અત્યાર સુધી ઓપરેશન ચાલુ છે પરંતુ આતંકીઓનો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ચાર ઘાયલોની સારવાર ચાલી રહી છે. ભીડવાળા બજારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો, જેના કારણે સ્થળ પર હાજર બે નાગરિકો સાથે બે જવાન ઘાયલ થયા.

આ સિવાય બારામુલા જિલ્લામાં જ ઉરી સેક્ટરમાં સુરક્ષા દળોએ એલઓસી પર આતંકવાદીઓની ઘૂસણખોરીને નિષ્ફળ બનાવી છે. કહેવામાં આવ્યું હતું કે આ તરફ આતંકીઓની એક ટીમ આવી ગઈ હતી પરંતુ ઓપરેશન હજુ પણ ચાલુ છે. સૈન્ય તરફથી હજુ સુધી માહિતી બહાર આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *