અમદાવાદમાં બંધ શાળાની ટાંકી માંથી મૃતદેહ મળી આવતા મચ્યો ચકચાર

અમદાવાદ(ગુજરાત): તાજેતરમાં અમદાવાદમાંથી એક ચકચાર મચાવતો કિસ્સો સામે આવ્યો છે. જેમાં અમદાવાદના નિર્ણયનગર અંડર પાસ પાસે આવેલી જૂની ત્રિપદા સ્કૂલની અંડર ગ્રાઉન્ડ ટાંકીમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે ફાયર બ્રિગેડને જાણ કરતા ટીમ સ્થળ પર પહોંચીને મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. જેમાં વ્યક્તિ ટાંકીમાં પડી જતા અને તેની ઈજા થતાં મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળ્યું છે કે, ફાયર બ્રિગેડ દ્વારા સ્કૂલની ટાંકીમાંથી મૃતદેહ બહાર કાઢી પોલીસને સોંપવામાં આવ્યો હતો. તેમજ વ્યક્તિની ઓળખ અને તેની મોતનું કારણ જાણવા તપાસ શરૂ કરવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, મૃતકનું નામ ભવરલાલ વણઝારા છે. પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, મંગળવારે મોડી રાત્રે બનાવ બન્યો હતો.

ઘાટલોડિયા વિસ્તારના પીઆઈએ આ વિશે જણાવ્યું કે, આ સ્કૂલ કપાતમાં ગઈ હોવાને લઈને તોડી પાડવામાં આવી રહી છે. છેલ્લા દસ દિવસથી સ્કૂલને તોડવાની કામગીરી ચાલુ હતી. અહી લાઈટની પણ વ્યવસ્થા ન હતી. ભવરલાલ વણઝારા ડમ્પર ચાલક તરીકેનુ કામ કરતા હતા. હાલ તેઓ અકસ્માતે ટાંકીમાં પડ્યા હોવાનું કહેવાય છે.

મળતી માહિતી મુજબ, ભવરલાલ વણઝારાનો પરિવાર સાબરમતી વિસ્તારમાં રહે છે. તેમના સગાએ કહ્યુ કે, ભવરલાલના મૃત્યુથી તેમના ચાર બાળકો નોંધારા બન્યા છે. કોન્ટ્રાક્ટરની બેદરકારીથી આ બનાવ બન્યો છે. સ્કૂલની ટાંકી નજીક બેરીકેટિંગ અથવા અન્ય કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી ન હતી. ત્યાં લાઈટની પણ વ્યવસ્થા ન હતી. જેથી આ બનાવ બન્યો હોઈ તેવા અનુમાન લગાવવામાં આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *