કોરોનાના કહેરને અટકાવવા આ ભારતીય ઉદ્યોગપતિ આપશે 100 કરોડની સહાય

અત્યારે સમગ્ર વિશ્વના દેશો કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યા છે ત્યારે ભારત પણ કોરોના સામે લડવા માટે કમર કસી છે. જેના ભાગરૂપે 22 માર્ચના…

અત્યારે સમગ્ર વિશ્વના દેશો કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યા છે ત્યારે ભારત પણ કોરોના સામે લડવા માટે કમર કસી છે. જેના ભાગરૂપે 22 માર્ચના રોજ સમગ્ર ભારતમાં જનતા કર્ફ્યૂ રહ્યો હતો. ત્યારે સાંજે પાંચ વાગે સમગ્ર દેશવાસીઓએ તાળીઓ અને થાળીઓ વગાડીને કોરોના સામે જંગ લડતા વીરોનું સમ્માન કર્યું હતું. આ સાથે કોરોના વાયરસ સામે લડવા માટે અનેક કંપનીઓ સામે આવી છે. ત્યારે વેદાંતા પણ કોરોના સામે લડવા માટે આગળ આવી છે. વેદાંતા રિસોર્શ લિમિટેડના ચેરમેન અનિલ અગ્રવાલે કોરોના વાયરસ સામે લડાઈ લડવા માટે 100 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

અનિલ અગ્રવાલે આ અંગેની માહિતી આપતું એક ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે ટ્વિટમાં જણાવ્યું હતું કે, હું કોરોના વાયરસ સામે લડવા માટે 100 કરોડ રૂપિયા આપવા કટીબદ્ધ છું. તેમણે #DeshKiZarooratonKeLiye સાથે વધું લખ્યું હતું કે, અત્યારે સમગ્ર દેશ અનિશ્વિતાઓ સામે લડી રહ્યો છે. દેશને અમારી જરૂર છે. જેમાં ખાસ કરીને રોજનું વેતરન રળતા લોકો માટે ચિંતિત છું. તેમને મદદ કરવા માટે અમે પ્રયત્ન કરીશું.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જનતા કર્ફ્યૂના દિવસે સાંજે પાંચ વાગે થાળી, તાળી વગાડીને કોરોના સામે જંગ લડતા લોકોનું સમ્માન કરવા માટે અપીલ કરી હતી. જેનું સમર્થન આપતા અનિલ અગ્રવાલે પણ હાથમાં થાળી અને ચમચી વગાડીને દેશના કોરોના સામે લડા વીરોનું સમ્માન કર્યું હતું. આ ફોટા સાથે અનિલ અગ્રવાલે ટ્વીટ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *