આ મંદિરમાં છેલ્લા ઘણા વર્ષથી ફક્ત પાણીથી પ્રગટે છે દીવો, જાણો ચમત્કારિક રહસ્ય

ભારત દેશમાં અનેક પ્રાચીન મંદિરો છે તેમજ તેમનો અલગ અલગ મહિમા રહેલો છે. આ ઉપરાંત ઘણા એવા મંદિરો છે જેનો મહિમા ચમત્કારથી ઓછો નથી. ભારતમાં પથ્થરને પણ ભગવાન માનીને તેમની પૂજા-અર્ચના કરવામાં આવે છે. જો કોઈ પથ્થરને ભગવાન માનીને તેની પૂજા કરવામાં આવે તો તેમાં ભગવાન સાક્ષાત બિરાજમાન થાય છે.

ધર્મને આસ્થામાં ઘણા રહસ્યમય ચમત્કાર થાય છે જે ભગવાનમાં રહેલી શ્રદ્ધાને વધારે છે. આવો જ એક રહસ્યમય ચમત્કાર દેવીઓના મંદિરમાં પણ જોવા મળે છે. તેમાં દીવાની જ્યોતને પ્રગતિ રાખવા માટે તેલ અથવા ઘી ની જરૂર પડતી નથી.આ દિવો છેલ્લા પાંચ વર્ષથી પાણી થી પ્રગટી રહ્યો છે.

આ મંદિર ગડિયાઘાટ માતાજીનું છે અને તે કાળીસિંઘ નદીના કાંઠે ગાડિયા ગામ નજીક નલખેડાથી 15 કિલોમીટર દૂર સ્થિત છે. માતાજી પર રહેલા અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધાના કારણે ઠેર ઠેરથી ભકતો તેમનાં દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં પ્રગતિ રહેલા દીવામાં પાણી ચઢાવવામાં આવે છે અને તે પ્રવાહી ચીકણું બની જાય છે જેના કારણે દીવો સતત પ્રગતિ રહે છે.

મંદિરના પુજારીના જણાવ્યા અનુસાર પહેલા માતાના મંદિરમાં હંમેશા તેલ અને ઘી ના દીવા પ્રગટાવવામાં આવતા હતા. એક દિવસે માતાજી તેના સપનામાં આવ્યા અને કહ્યું કે હવેથી તમારે તેનો દીવો પાણી થી પ્રગટાવો અને ત્યારથી આ દિવો પાણી દ્વારા પ્રગટાવવામાં આવે છે. જે આ મંદિરનો મહિમા છે એટલે જ અહીં દર વર્ષે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતાં હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *