દીકરીના જન્મદિને જ માતાએ આપઘાત કરી જીવન ટુંકાવ્યું- સુરતની આ હૃદયદ્રાવક ઘટના જાણી હચમચી જશો

સુરત(ગુજરાત): આજકાલ દિવસેને દિવસે આત્મહત્યાના બનાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ફરીવાર સુરતમાંથી આપઘાતની એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં એક માતાએ પોતાની જ પુત્રીના જન્મદિવસે આત્મહત્યા કરી લીધી હતી. જાણવા મળ્યું છે કે, સાસરિયાના ત્રાસથી કંટાળી પાલનપુર પાટિયાના બ્રાહ્મણ પરિવારની પરિણીતાએ પુત્રીના જન્મદિવસે તાપી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે સિંગણપોર પોલીસ દ્વારા સાસરિયા વિરુદ્ધ દુપ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ ઘટનાની અંગે મળતી માહિતી મુજબ, સુરતમાં ગયા મંગળવારે સવારે રામમઢી ઓવારા પાસે નદીમાંથી અજાણી મહિલાની લાશ મળી આવી હતી. ત્યારબાદ સિંગણપોર પોલીસ દ્વારા લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

પોલીસ તપાસમાં મૃતક મહિલાની ઓળખ જયતીબેન સંકેતભાઇ જોષી તરીકે થઇ હતી. પરિવારજનો રાંદેર પોલીસમાં ગૂમ થવા અંગેની નોંધ કરાવવા પહોંચ્યા હતા ત્યારે તેમને જયતીબેનની લાશ મળી હોવાનો મેસેજ મળ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક પરિણીતાને પતિ સહિતના સાસરિયા ઘરકામ તેમજ રસોઇ બાબતે મહેણાંટોણાં મારી અત્યાચાર ગુજારતા હતા.

જેનાથી તે કંટાળી ગઈ હતી. આ દરમિયાન, જયતીબેન મંગળવારે સવારે નિત્યક્રમ મુજબ ફૂલ લેવા જવાનું કહીને નીકળી રામમઢી ઓવારે જઈ નદીમાં મોતની છલાંગ લગાવી હતી. પુત્રીના જન્મદિને તેણે આ આત્યાંતિક પગલું ભરી લીધું હતુ. સિંગણપોર પોલીસ દ્વારા પતિ સંકેત અનંતકુમાર જોષી, સાસુ હેમાબેન, સસરા અનંત જોષી સામે પ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

પાલનપુર પાટીયા વિસ્તારમાં રહેતી પરીણીતાએ આપઘાતનું પગલું ભર્યું હોવાથી અંગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ સમગ્ર પ્રકરણમાં પરિણીતાને પતિ સહિતના સાસરિયાઓ દ્વારા ઘરકામ અને રસોઈ બાબતે ટોર્ચરિંગ કરવામાં આવતું હોવાની વિગતો સામે આવી હતી. હાલ તો સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *