ગુજરાતની આ પાયલટ દીકરીએ પોતાના લગ્નમાં એવું કર્યું કે, મહેમાનો જોતાને જોતા જ રહી ગયા

કોરોના કાળ વચ્ચે એક યુવતીના લગ્ન યોજાયા હતાં. આ દીકરીએ અનોખી પહેલ કરતાં લગ્નમાં આવેલા મહેમાનો પાસેથી ભેટ સ્વીકાર કરવાના બદલે તમામને અનોખી ભેટ આપી. આ ભેટ જોઈ સૌ કોઈ તેની પ્રશંસા કરવા લાગ્યા હતાં.

આ યુવતીનું નામ છે નચિકેતા રાવલ. વન અધિકારી શંકરલાલ રાવલનાં દીકરી નચિકેતા માટે આકાશમાં ઉડાન ભરવાનું અને સૌ કોઈને હવામાં ઉડાડવાનું કાર્ય રોજિંદું છે. કારણ કે, નચિકેતા એક પાયલટ છે. નચિકેતા હાલમાં ચેન્નઈમાં રહીને સ્પાઇસજેટ ઍરલાઇનમાં પાઇલટ તરીકે ફરજ બજાવી રહ્યાં છે. ચેન્નઈમાં જ પોતાની સાથે વિમાનચાલક તરીકે કામ કરતા બેંગ્લોરના યુવાન કેપ્ટન અનિરુદ્ધ ક્રિષ્ના સાથે તેમના લગ્ન નક્કી કરવામાં આવ્યા. પરંતુ લગ્ન સમયે જાનૈયાઓને ભેટ-સોગાદ શું આપવી તેને લઈને પરિવારમાં ચર્ચા થઈ હતી. કોરોના કાળમાં લગ્ન હોવાથી સ્વસ્થ રહેવાના સંદેશ સાથે તેમણે ભેટ આપવાનું નક્કી કર્યું.

નચિકેતાએ પરિવાર સમક્ષ વિચાર રજૂ કરતાં કહ્યું કે, આપણે એવું કંઈક કરવું જોઈએ કે જેથી સમાજને પણ એક સારું ઉદાહરણ મળે. આખરે મહેમાનોને અરડૂસીનો રોપો આપવાનું નક્કી થયું. પરિવારે નચિકેતાના પ્રસ્તાવને સ્વીકારીને લગ્નના ત્રણ મહીના પહેલા એટલે કે, સપ્ટેમ્બર મહિનામાં અરડૂસીના છોડને ઉછેર કરવાનું ઘેર જ શરૂ કર્યું.

લગ્નનું આયોજન કચ્છ-માંડવીના એક રિસોર્ટ ઉપર કરવામાં આવ્યું હતું. 175 જેટલા કુંડામાં અરડૂસીના રોપાઓ તૈયાર કરીને ઉછેરેલા રોપા ભાવનગરથી માંડવીમાં મોકલવામાં આવ્યા. અરડૂસી કફના નિવારક તરીકે આયુર્વેદમાં ઓળખાય છે. કોરોનાના ચેપમાં કફ ફેફસા સુધી પહોંચે છે અને નુકસાન કરે છે. આ કફને દૂર કરવા માટે અરડૂસી એક ખુબ સારો ઇલાજ છે. આ ભેટથી એક સંદેશ ગયો કે, એક સ્વાસ્થ્ય જીવન માટે આયુર્વેદ જ શ્રેષ્ઠ છે. જ્યારે આ છોડના રોપા મહેમાનોને ભેટ આપવામાં આવ્યા ત્યારે જય ઘોષ થયો કે ‘આયુર્વેદ વિજયી ભવઃ’. આમ આધુનિક સમયમાં પણ આર્યુવેદનું મહત્ત્વ લોકો સમજતાં થયા છે.

નોંધનીય છે કે, મૂળ બોટાદના રોહીશાળાના અને ભાવનગર સ્થાયી થયેલા ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત થયલેાં શંકરભાઈ રાવલની ચાર દીકરીઓ આરતી, સ્વાતિ, નીલમ અને નિચિકેતા. શંકરભાઈ રાવલની બીજા નંબરની દીકરી સ્વાતી પણ પાયલોટ છે. તેણે માર્ચ 2020માં આખા દેશનું ઘ્યાન દોર્યું હતું. સ્વાતિએ કોરોના બ્લાસ્ટ થયો ત્ચારે ઈટાલીમાં ફસાયેલા 263 ભારતીયોને એર ઈન્ડિયાની બોઈંગ 778 ફ્લાઈટ ઉડાવીને વતન પહોંચાડ્યા હતા. જેમાં મોટાભાગના સ્ટુડન્ટ હતા. સ્વાતી પછી હવે નાની દીકરી નિચિકેતા દ્વારા લગ્નમાં અનોખો નિર્ણય લઈ એક ખુબ જ સારું કાર્ય કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *