આજથી સતત એક મહિના સુધી સમગ્ર વિશ્વમાં આકર્ષણનું કેન્દ્ર બનશે ‘પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવ’ – PM મોદી કરશે ઉદ્ઘાટન

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવનો આજથી એટલે કે 14 ડિસેમ્બરથી અમદાવાદ(Ahmedabad)ના ઓગણજ ખાતે શુભારંભ થઇ રહ્યો છે. આ મહોત્સવ…

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav: પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવનો આજથી એટલે કે 14 ડિસેમ્બરથી અમદાવાદ(Ahmedabad)ના ઓગણજ ખાતે શુભારંભ થઇ રહ્યો છે. આ મહોત્સવ માટે સાયન્સસિટી- ઓગણજ વચ્ચે સરદાર પટેલ રિંગ રોડ(Sardar Patel Ring Road)ના કિનારે 600 એકર જમીન પર એક ભવ્ય સ્વામિનારાયણનગર ઊભું કરવામાં આવ્યું છે. આજે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજ(Mahantaswami Maharaj) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi)ના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન થવા જઈ રહ્યું છે. સાંજના 5થી 7.30 વાગ્યા સુધી ઉદઘાટન સમારોહ ચાલશે.

મહત્વનું છે કે, 14 ડિસેમ્બરના રોજ સાંજે 5.00 થી 7.30 દરમ્યાન મહોત્સવના પ્રેરણામૂર્તિ પૂજ્ય મહંત સ્વામી મહારાજ અને વડાપ્રધાન નરેન્દ્રમોદીના હસ્તે વિરાટ જનમેદનીની ઉપસ્થિતિમાં મહોત્સવનું શાનદાર ઉદઘાટન થવા જઈ રહ્યું છે. સાથે જ નારી ઉત્કર્ષ મંડપમમાં રોજ બપોરે 2.30 થી 4.30 દરમ્યાન મહિલા કાર્યક્રમોની અદભુત પ્રસ્તુતિઓ થશે, જેમાં ભારત અને વિદેશના મહિલા મહાનુભાવો દ્વારા પણ મંચ પરથી વિદ્વત્તાસભર સંબોધનોનો લાભ આપવામાં આવશે. ‘નારાયણ સભાગૃહ’માં રોજ સાંજે 5.00 થી 7.30 દરમ્યાન રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની હસ્તીઓની હાજરીમાં હજારો લોકોની મેદની વચ્ચે વિવિધ વિષયક સભાકાર્યક્રમો થશે.

PM મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોતક વિધિ દ્વાર પૂજાપાઠ અને વિધિ કરીને રિબીન કાપીને મહોત્સવની શુભ શરૂઆત કરવામાં આવશે. પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો અને નવા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહેશે. દેશ-વિદેશના હરિભક્તો અને મહેમાનનું સ્વાગત કરવામાં આવશે તે પ્રકારનું આયોજન કરવામાં આવશે.

ઘર બેઠા પણ જોઈ શકશો લાઈવ ઉદઘાટન:
આ પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનના ઉદઘાટનને તમે ઘર બેઠા જ જોઈ શકશો. સાંજના 5 વાગ્યાથી https://youtu.be/_YoyCR4WjLM આ લીંકના માધ્યમથી તમે ઘર બેઠા જ  જોઈ શકશો.

20 હજાર રૂમનું થઇ ચુક્યું છે એડવાન્સ બુકિંગ:
પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવમાં સામેલ થવા માટે 1 મહિનામાં કુલ 3 લાખ જેટલા NRI આવશે. જેને લઈ અમદાવાદની તમામ ફાઇવ સ્ટાર હોટેલના 90 ટકા અને અને ફોર સ્ટાર હોટેલોના 70 ટકા જુદી જુદી કેટેગરીના રૂમ બુક થઈ ચુક્યા છે એટલે કે 20 હજાર રૂમનું એડવાન્સ બુકિંગ કરી દેવામાં આવ્યું છે. ફાઇવ સ્ટાર હોટેલોમાં પહેલી વખત સ્વામિનારાયણ ફૂડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. માત્ર એટલું જ નહીં તેમના માટે હોટેલોમાં અલગથી ડાઇનિંગની અલાયદી વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે.

ત્રણ હેલિકોપ્ટરથી કરવામાં આવશે પુષ્પવર્ષા:
મહત્વનું છે કે, 600 એકરમાં ફેલાયેલા આ શતાબ્દી મહોત્સવનું વડાપ્રધાન મોદી બુધવારના રોજ ઉદઘાટન કર્યા બાદ આખા નગર પર હેલિકોપ્ટર મારફતે ગુલાબોથી પુષ્પ વર્ષા કરવામાં આવશે, જેના માટે BAPS દ્વારા ત્રણ હેલિકોપ્ટર બુક કરી દેવામાં આવ્યાં છે. આ સાથે આકાશમાં કલરિંગ ફોર્મેશન પણ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *