બે સગા ભાઈઓ સહિત 3 બાળકો તળાવમાં ડૂબી જતા નીપજ્ય કરુણ મોત- એક જ પરિવારમાંથી બે ચિરાગ બુજાયા

છત્તીસગઢના બલરામપુરમાં બુધવારે નદીમાં ડૂબવાના કારણે બે સગા ભાઈઓ સહિત ત્રણ બાળકોના મોત થયા હતા. ત્રણેય બાળકો ચાણન નદીમાં નાહવા ગયા હતાં. માહિતી મળતા જ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. પહેલા 2 ભાઈઓની લાશ મળી હતી. ત્રણ કલાક પછી ત્રીજા બાળકનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. આ પછી પરિવારની રડી રડીને હાલત ખરાબ થઇ ગઈ છે. આ અકસ્માત કોતવાલી વિસ્તારમાં બન્યો હતો.

મળતી માહિતી મુજબ, શહેરથી લગભગ 10 કિમી દૂર આવેલા નવડીહ ગામનો રહેવાસી દિનેશ અને પ્રિયંશુ નજીકમાં જ રહેતા તેમના એક મિત્ર રણજિતની સાથે 11 વાગ્યે ઘરની બહાર આવ્યા હતા. બુધવારે સવારે પરિવારને જાણ કર્યા  ચાણન નદીમાં ન્હાવા ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, ત્રણેય બાળકો દોડી ગયા હતા અને નદીમાં કૂદી પડ્યા હતા. ત્યારે તેઓ ઊંડા પાણીમાં ફસાઈ ગયા હતા. માહિતી મળતાં પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા પોલીસને ઘટના સ્થળે પહોંચી આવી હતી. ગોતાખોરોને પણ બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બાળકોની શોધખોળ શરૂ કરી હતી. લગભગ એક કલાક પછી બંને ભાઈઓ દિનેશ અને પ્રિયંશુના મૃતદેહ મળી આવ્યા, પરંતુ ત્રીજો છોકરો રણજીતની લાશ મળી ન હતી. ખૂબ જ પ્રયત્નો કર્યા પછી, ગોતાખોરોએ ઘટના સ્થળેથી બપોરે બે વાગ્યે તેના મૃતદેહને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *