પુરપાટ ઝડપે દોડતી બસનો આતંક: બાઈક સવાર 3 યુવકોને ટક્કર મારતા ત્રણેયના ઘટના સ્થળે જ….

Kanpur bus accident: ઉત્તર પ્રદેશના કાનપુરના દેહાત નજીક એક ઝડપી બસ ચાલકે બાઈક સવાર 3 યુવકોને ટક્કર મારી હતી. જેના કારણે ત્રણેયના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. આ ઘટનાથી ગુસ્સામાં ભરાયેલા પરિવારજનોએ હાઇવે પર હંગામો કર્યો હતો અને ધરણા પર બેસી ગયા હતા. જેના લીધે વાહન વ્યવહાર ખોરવાયો હતો. જોકે ઘટના અંગે જાણકારી મળતા પોલીસ પણ (Kanpur bus accident) ઘટના સાથે પહોંચી ગઈ હતી અને પરિવારજનોને સમજાવીને ટ્રાફિક ફરી યથાવત કર્યો હતો. સાથે જ પોલીસે બસને કબજામાં લઈ લીધી છે. આ દુર્ઘટના ભોગનીપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કાનપુર ઝાંસી નેશનલ હાઈવે પર થઈ હતી.

મળતી જાણકારી અનુસાર 2 મેના રોજ સાંજે 7:30 વાગે એક બસ ઝાંસીથી કાનપુર તરફ જઈ રહી હતી. આ દરમિયાન અપાચે બાઇક પર સવાર 3 વ્યક્તિ પણ આ રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન આ બસએ પાછળથી બાઈક સવાર યુવકોને ટક્કર મારી હતી. જેના કારણે ત્રણેય ગંભીર રૂપે ઘાયલ થયા હતા. ત્યાં સ્થાનિકોની મદદથી તેઓને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ ત્રણેય યુવકોને ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.

ભોગનીપુરના પોલીસ અધિકારી એ જણાવ્યું હતું કે એક પુરપાટ ઝડપે દોડતી બસે બાઇક સવાર ત્રણેય લોકોને ટક્કર મારી હતી. જેના કારણે ત્રણેયના મૃત્યુ થઈ ગયા આ ઘટનાથી ગુસ્સે થઈ યુવકના પરિવારજનોએ રસ્તો જામ કરી દીધો. જેના લીધે ઘણા કલાકો સુધી વાહન વ્યવહાર ખોવાયો હતો.

મામલા અંગે જાણકારી મળતા જ પોલીસ ઘટનાએ પહોંચી હતી અને પરિવારજનોને સમજાવી ટ્રાફિકજામ ક્લિયર કર્યો હતો. હાલમાં પોલીસે બસને કબજામાં લઈ લીધી છે અને તેની તપાસ ચાલી રહી છે. તપાસ બાદ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.