‘મને માફ કરી દેજે’ કહી પત્નીને પગે લાગી, પતિએ 19માં માળેથી લગાવી મોતની છલાંગ

ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)ના નોઈડા (Noida)માં શુક્રવારે સવારે એક વૃદ્ધનું 19માં માળેથી નીચે પડી જતાં શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. મામલો નોઈડા સેક્ટર 137ના સુપરટેક ઈકો(Eco)…

ઉત્તરપ્રદેશ (Uttar Pradesh)ના નોઈડા (Noida)માં શુક્રવારે સવારે એક વૃદ્ધનું 19માં માળેથી નીચે પડી જતાં શંકાસ્પદ હાલતમાં મોત થયું હતું. મામલો નોઈડા સેક્ટર 137ના સુપરટેક ઈકો(Eco) સિટીનો છે, જ્યાં 70 વર્ષીય રાજકુમારે નીચે કૂદીને આપઘાત કર્યો હતો. આ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આબી રહી છે.

રિપોર્ટ અનુસાર, સોસાયટીના 19મા માળેથી છલાંગ લગાવતા પહેલા મૃતક રાજકુમારે તેની પત્નીના પગને સ્પર્શ કર્યો હતો અને કહ્યું હતું કે, ‘મને માફ કરો’ અને પછી નીચે કૂદી ગયો હતો. મૃતક રાજકુમાર વીમા કંપનીમાં એજન્ટ તરીકે નોકરી કરતો હતો. રાજકુમાર તેની પત્ની સાથે ઈકો સિટી સોસાયટીના ટાવરમાં 19મા માળે ફ્લેટ નંબર 1802માં રહેતો હતો. ઘરમાં હાજર પત્ની કંઈ સમજે તે પહેલા જ તે નીચે કૂદી પડ્યો હતો.

મળતી માહિતી મુજબ, રાજકુમાર બાલ્કનીમાં સ્ટૂલની ઉપરથી નીચે કૂદી ગયો હતો. મળતી માહિતી મુજબ, મૃતક રાજકુમાર કોઈ બીમારીના કારણે ડિપ્રેશનનો શિકાર હતો. વૃદ્ધ વ્યક્તિએ છલાંગ લગાવી હોવાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. 19મા માળેથી પડવાને કારણે મૃતદેહની હાલત ખુબ જ ખરાબ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *