ગુરુવારે અકસ્માતની વણજાર! સિદ્ધપુરમાં બાઈક લઈને જતા યુવકનું મોત, તો રાજકોટ-ભાવનગર હાઇવે પર યુવકનું મોત

Two workers died when the wall collapsed: મોરબી વાંકાનેરમાં દીવાનપરામાં દિવાલ ધરાશાયી થતાં બે શ્રમિકનું મોત થયું છે. જુની જીઇબીની ઓફિસ તોડી પાડવાની કામગીરી ચાલતી હતી. તે દરમિયાન દુર્ઘટના થતાં શ્રમિકોનું મોત થયું છે.મોરબીના વાંકાનેરમાં જીઇબીની ઓફિસ તોડી પાડવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન એક દીવાલ (Two workers died when the wall collapsed) અચાનક ધરાશાયી થતાં શ્રમિક પર પડતા શ્રમિકને ગંભીર માત્રામાં ઇજા પહોચી હતી.

જુનુ બાંધકામ તોડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં મજૂરો કામે આવ્યા હતા અને તે ગઇકાલે આ બાંધકામ તોડતી વખતે તેમના પર દિવાલ માથે પડતાં બે મજૂર ત્યાં દબાઇ ગયા હતાં.

જેમાં મુળ મધ્યપ્રદેશના રાજેશ બાલસીંગ પરમાર નામના 18 વર્ષીય મજૂરનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે મુળ એમપીના મુનસિંગ મોહનભાઇ ડામોર નામના 45 વર્ષીય શ્રમિક વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતાં. પરંતુ અહિ તેમનું મોત નિપજતાં હોસ્પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂ અને જયદિપભાઇ હુદડે વાંકાનેર પોલીસને પણ જાણ કરી હતી.

મૃત્યુ પામનાર મુનસિંગ ચાર ભાઇ અને બે બહેનમાં બીજા નંબરના હતાં. સંતાનમાં ચાર દીકરા અને ચાર દીકરીઓ છે.આ બનાવથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અને આ ઘટનાથી તેમના બાળકોએ પોતના પિતાની છત્રછાયા ગુમાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *