સુરત સિવિલને લોકોના સ્વાસ્થ્યની કઈ પડી નથી, તેનું જીવતું જાગતું ઉદાહરણ- જોઈ લો તમે જ…

સુરત(Surat): શહેરના સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ના સત્તાધીશોની ઘોર બેદરકારીનો પર્દાફાશ થયો છે. PM કેર (PM Care)માંથી મળેલા વેન્ટિલેટર હવે વ્યવસ્થાના અભાવે ધૂળ ખાઇ રહ્યા છે. સફાઈનો અભાવ અને પ્લાસ્ટિકના કવર ન ચડાવવામાં આવતા વેન્ટિલેટર (Ventilator) ધૂળ ખાઈ રહ્યા હોવાનો મોટો ખુલાસો થયો છે.

જો વાત કરવામાં આવે તો હાલમાં સુરત કોવીડ-19 હોસ્પિટલમાં 100 થી વધુ વેન્ટિલેટર ધૂળ ખાઈ રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલની કોવીડ હોસ્પિટલમાં વેન્ટિલેટર ધૂળ ખાઈ રહ્યા છે.

કોરોના બીજી લહેરમાં જયારે વેન્ટિલેટર ખૂટી પડ્યા હતા. ત્યારે વેન્ટિલેટર માટે હોસ્પિટલ દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યારે લોકો માટે વેન્ટિલેટર આશીર્વાદરૂપ બન્યા હતા. PM કેર ફંડ માંથી સુરત સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર મોકલવામાં આવ્યા હતા. ત્યારે આ વેન્ટિલેટરની હોસ્પિટલના તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની જાળવણી કરવામાં આવતી નથી.

મહત્વનું છે કે, કોરોના કાળ સમયે હજારો દર્દીઓના જીવ બચાવવા કેન્દ્ર સરકાર દ્વારા કરોડોના ખર્ચે 100થી વધુ વેન્ટિલેટરની ફાળવણી કરવામાં આવી હતી. પરંતુ હવે આ વેન્ટિલેટર સફાઈના અભાવે ભંગારની જેમ મૂકી દેવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, વેન્ટિલેટર સંવેદનશીલ હોવાથી ઉપયોગ વિના મૂકી રાખવાથી જલ્દીથી ખરાબ પણ થઈ જાય છે. તો આ વેન્ટિલેટર જ્યારે પણ ઉપયોગમાં લેવાય ત્યારે દર્દીઓના જીવને જોખમ છે સાથે જ શોર્ટ સર્કિટની પણ સંભાવના રહેલી છે. ત્યારે વેન્ટિલેટર જેવા મહત્વના ઉપકરણો મુદ્દે બેદરકારી દાખવનાર હોસ્પિટલ પ્રશાસન સામે કડક કાર્યવાહી થશે કે નહી તે તો જોવું જ રહ્યું.

જયારે આ અંગે સુરત સિવિલ હોસ્પિટલના સિવિલ અધિક્ષક ડોક્ટર ગણેશ ગોવેકરને પૂછવામાં આવ્યું તો તેણે જણાવ્યું હતું કે, વેન્ટિલેટર જાળવણી માટે એક રૂમમાં મુકવામાં આવ્યા છે અને વેન્ટિલેટરની અમે સાવધાની રાખીએ જ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *