હજારો વર્ષથી પથ્થરમાં કેદ હતો ‘રાક્ષસ’- અચાનક તૂટતા થયું એવું કે માનવામાં નહિ આવે!

કેટલીકવાર આપણે વાર્તાઓમાં સાંભળીએ છીએ કે, હજારો વર્ષ પહેલા આ ધરતી પર રાક્ષસો પણ હતા. પરંતુ આજના યુગમાં કોઈ તેના પર વિશ્વાસ કરતું નથી. જોકે, આ વાત પૌરાણિક કથાઓમાં વારંવાર સાંભળવા મળે છે. આવો જ એક કિસ્સો જાપાન(Japan)માંથી સામે આવ્યો છે. એક પ્રાચીન જાપાની પથ્થરે હજારો વર્ષ પહેલાં એક રાક્ષસને પકડ્યો હોવાનો દાવો કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ અસુરી શક્તિઓને કારણે થયું છે.

અહેવાલ મુજબ, સેશો-સેકી ઉર્ફે ધ કિલિંગ સ્ટોન જ્વાળામુખીનો એક ખડક છે. આ ખડકમાં દુષ્ટ આત્મા હોવાનું માનવામાં આવે છે અને તે મધ્ય જાપાનમાં સક્રિય જ્વાળામુખી પર બેસે છે. આ સ્થળ ટોક્યોથી દૂર નથી. જાપાની પૌરાણિક કથાઓ અનુસાર એવું માનવામાં આવે છે કે, પથ્થરની અંદર એક દુષ્ટ આત્મા રહે છે અને તે એટલી શક્તિશાળી છે કે જે પણ તેના સંપર્કમાં આવે છે તેને મારી નાખે છે.

5 માર્ચે પથ્થરના બે ટુકડા કર્યા પછી જાપાની સ્થાનિકો અને ઑનલાઇન વપરાશકર્તાઓએ ચિંતા વ્યક્ત કરી કે પથ્થર ઝેરી ગેસનું ઉત્સર્જન કરવાનું ચાલુ રાખ્યું. સ્ટોનમાં તામામો-નો-માઈની લાશ હોવાનું કહેવાય છે. જે એક સુંદર સ્ત્રી હતી, પરંતુ બાદમાં તે નવ પૂંછડીવાળા શિયાળ તરીકે સામે આવી હતી.

જાપાની પૌરાણિક કથાઓ સૂચવે છે કે, તામામ-નો-માએ 1100ના દાયકામાં સમ્રાટ ટોબાને મારી નાખવાનું કાવતરું રચીને શક્તિશાળી જાપાની સામંત સ્વામી માટે કામ કર્યું હતું. પથ્થર તોડવાના સમાચાર સામે આવ્યા પછી, લોકો તેમની ચિંતાઓ અને સિદ્ધાંતો શેર કરવા માટે સોશિયલ મીડિયા પર ગયા. એક વ્યક્તિએ લખ્યું, ‘આ ઘણું ડરામણું છે, વધુ અંધકારની જરૂર નથી.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *