વરમાળા માટે ઉભો હતો, ત્યાં પાછળથી કોઈએ કહ્યું- ધીરજની દુલ્હન તો.. સાંભળતા જ ભાગી ગયો વરરાજો

Viral Wedding Bihar: બિહારના સારણથી એક વિચિત્ર સમાચાર સામે આવી રહ્યા છે. અહીંયા એક વરરાજો સ્ટેજ પર વરમાળા લઈને ઉભો હતો. દુલ્હન આવે તેને પહેલા જ કોઈએ પાછળથી કંઈક એવું કહ્યું કે દુલ્હો નારાજ થઈ ગયો. અને તે સ્ટેજ પરથી ઉતરી અને લગ્ન કર્યા વગર (Viral Wedding Bihar) જ ચાલ્યો ગયો. ભાગમાં આ મામલો પોલીસ સ્ટેશન પહોંચો ત્યારે માંડ માંડ પોલીસની સમજાવટ બાદ બંનેના લગ્ન થયા હતા.

મામલો ભેલ્દી પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો છે. અહીંયા બે પિતરાઈ બહેનોના લગ્ન માટે જાન આવી પહોંચી હતી. બેન્ડવાજા સાથે લગ્ન કરાવવા માટે આખું ગામ અને સમાજ તૈયાર હતા. પંડિતથી લઈને સંબંધીઓ પોતપોતાના કામમાં પરોવાયેલા હતા. આરા જિલ્લામાંથી આવેલી જાનમાં વરમાળાની વિધિ થનારી હતી. તેમજ બીજી બાજુ દોરીગંજના જલાલપુરથી હરેન્દ્ર પ્રસાદના પુત્ર ધીરજ કુમારના લગ્ન બહારણ પ્રસાદની દીકરી સુગંતી ઉર્ફ આરતી સાથે થવાના હતા.

પૂજારી વરમાળાની વિધિ કરાવી રહ્યા હતા. વરરાજો સ્ટેજ પર બેઠો બેઠો દુલ્હનની રાહ જોઈ રહ્યો હતો. એવામાં એ જ સમયે કોઈએ અફવા ફેલાવી કે ધીરજની થનારી પત્ની આરતી મંદ બુદ્ધિ છે અને તેની માનસિક સ્થિતિ બરાબર નથી. એવામાં આ વાત સાંભળી બધા જ જાનૈયા આવો વચ્ચે ફેલાઈ ગઈ હતી. છોકરીવાળા તરફથી વરમાળાની બધી તૈયારી થઈ ચૂકી હતી અને છોકરીને દરવાજા સુધી લઈ આવ્યા હતા, પરંતુ આ વાત સાંભળતાની સાથે જ વરરાજો સ્ટેજ પરથી ઉતરીને ચાલ્યો ગયો. જાનમાં કેટલાક બુદ્ધિ જીવી તે સમજી જ ન શક્યા કે અચાનક આ શું થઈ ગયું? જે દરવાજા પર બેન્ડવાજા વાગી રહ્યા હતા અને વરમાળાની તૈયારી ચાલી રહી હતી, ત્યાંથી લોકો ઊઠીને ભાગવા કેમ લાગ્યા.

પોલીસને જાણ કરવામાં આવી
બીજી બાજુ આરતીની પિતરાઈ બહેનની વરમાળાની વિધિ ચાલી રહી હતી, જેનાથી છોકરી વાળા વ્યસ્ત હતા. જ્યારે આરતીના સ્વજનોને જાણકારી મળી કે વરરાજો અને તેના પરિવારના લોકો ખુરશી છોડી પોતાની ગાડી તરફ વધી રહ્યા છે ત્યાં સુધીમાં તો કેટલાક જાણૈયા ગાડીમાં બેસી પોતાના ગામ તરફ નીકળી પણ ગયા. આ ઘટના શુક્રવારની છે અને ત્યારે કોઈએ તાત્કાલિક તેની જાણ પોલીસ સ્ટેશનના અધ્યક્ષ સંદીપ કુમારને કરી હતી. એકાએક પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી અને તપાસ બાદ જાણ્યા પક્ષના છ થી સાત લોકોને પોલીસ સ્ટેશન લઈ આવી હતી.

પોલીસ સ્ટેશન પહોંચ્યા જાનૈયા
શરીરમાં આજની સવારે જ્યારે છોકરા પક્ષને ખબર પડી કે તેમના સંબંધીઓ પોલીસની કસ્ટડીમાં છે તો તે ભાગતા ભાગતા પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યાં પરિસરમાં જ પોલીસ કર્મીઓએ બંને પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં બધાની વાત સાંભળી હતી. છોકરા પક્ષના લોકોએ જણાવ્યું હતું કે છોકરીની માનસિક સ્થિતિ સારી નથી તેવી જાણકારી મળી છે એટલા માટે તેઓ લગ્ન નથી કરવા માંગતા. ત્યારે આરતી તરફથી જનપ્રતિનિધિઓએ આત્મવિશ્વાસ સાથે પોતાની વાત રાખી જેનાથી સાફ થઈ ગયું કે તે ભણેલી જ છે અને સમજદાર છે અને આ અફવા ખોટી છે.

પોલીસે કરાવ્યા લગ્ન
એવામાં વર પક્ષને પોતાની ભૂલ સમજાઈ હતી અને ત્યારબાદ સમાજના લોકોના આગ્રહ થયા બાદ ધ્યાન પાછી ગામમાં પહોંચી હતી. આ વખતે જાનમાં પોલીસકર્મી અને જન પ્રતિનિધિઓ પણ હાજર હતા. ગામમાં વિધિવત મંડપ નાખવામાં આવ્યો અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મહિલાઓએ લગ્નના ગીતો ગાય આખા માહોલને બદલી દીધો હતો. જે પરિવારમાં થોડી ક્ષણો પહેલા દુઃખ હતું, હવે તે જ અચાનક ખુશીમાં ફેરવાઈ ગયું હતું.