તારક મહેતામાં ફરી એકવાર સંભળાશે ‘હે માં, માતાજી!’ – દયા ભાભીને લઈને અસીદ મોદીએ કહ્યું…

ટીવીના ધમાકેદાર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(Tarak Mehta ka Ulta Chashma)એ લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની દરેક…

ટીવીના ધમાકેદાર શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'(Tarak Mehta ka Ulta Chashma)એ લોકોના દિલ જીતવામાં કોઈ કસર છોડી નથી. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની દરેક વાર્તાની સાથે, તેના દરેક પાત્રે પણ લોકો પર સારી છાપ છોડી છે. જોકે, આજે પણ દર્શકો શોમાં દયા બેન(daya Ben) એટલે કે દિશા વાકાણી (Disha Wakani)ને મિસ કરે છે. પરંતુ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સંદર્ભમાં, એવું માનવામાં આવે છે કે મેકર્સ ટૂંક સમયમાં દયા બેનને શોમાં પાછા લાવવાના છે. આ વાતનો ખુલાસો બીજા કોઈએ નહીં પણ દિલીપ જોષી(Dilip Joshi)એ પોતે એટલે કે શોના જેઠાલાલે(Jethalal) કર્યો છે.

વાસ્તવમાં, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં, તારક તેના ખાસ મિત્ર જેઠાને અમદાવાદ જઈને તેની પત્ની અને તેની દયા ભાભીને પરત લાવવા કહે છે. આવી સ્થિતિમાં, જેઠાલાલ તેને કહે છે કે જ્યારે પણ તે દયાને લાવવાનું વિચારે છે, ત્યારે કોરોનાના કેસ વધવા લાગે છે. તેથી તે તેની પત્નીને લેવા માટે જઈ શકતા નથી. આ સાથે જેઠાલાલે જણાવ્યું કે, કોવિડ-19નો અંત આવતાની સાથે જ દયા અને તેનો પરિવાર પ્રવાસ પર જશે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલની આ વાતોને કારણે શોમાં દયાબેનની વાપસીની અટકળો તેજ થઈ ગઈ છે. જોકે, લોકો હજુ પણ મૂંઝવણમાં છે કે શું દિશા વાકાણી શોમાં પ્રવેશ કરશે કે પછી કોઈ નવી અભિનેત્રી દયા બેન તરીકે શોમાં આવશે. તમને જણાવી દઈએ કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નિર્માતા અસિત મોદીને પણ દયાબેનની વાપસીને લઈને ઘણી વખત સવાલ કરવામાં આવ્યા છે.

અસિત મોદીએ દયાબેનના પરત ફરવા પર ત્યાં સુધી કહ્યું હતું કે, મને લાગે છે કે મારે દયાબેન બનવું જોઈએ. કારણ કે, તેના વાપસીનો પ્રશ્ન ઘણા વર્ષોથી ઉઠી રહ્યા છે અને જો તે દિશા વાકાણી શોમાં પરત ફરવા માંગતી નથી, તો અમે નવી દયા સાથે આગળ વધીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *