વિદેશની ધરા પર વધુ એક ગુજરાતીની હત્યા- બે સગા ભાઈઓ પર કર્યું અંધાધૂન ફાયરિંગ- એકનું મોત

વિદેશ (Abroad)માં ગુજરાતી (Gujarati)ઓની હત્યાની ઘટનાઓ ઘણી વાર સામે આવતી હોય છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકા (South…

વિદેશ (Abroad)માં ગુજરાતી (Gujarati)ઓની હત્યાની ઘટનાઓ ઘણી વાર સામે આવતી હોય છે. ત્યારે હાલ આવી જ વધુ એક ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકા (South Africa)ના ઝામ્બિયા (Zambia)માં ભરૂચ(Bharuch) જિલ્લાના બે સાગા ભાઈઓ ઉપર ફાયરિંગ(firing) થયું હોવાની ઘટના સામે આવી છે. ગોળીબારમાં બે પૈકી એક યુવાનનું મોત નીપજ્યું છે. હુમલાનો ભોગ બનેલા બે ભાઈઓ ભરૂચના ટંકારીયા(Tankaria) ગામના વાતની હોવાની વિગતો સામે આવી રહી છે. ગત રાતે બનેલી ઘટના પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

પ્રાપ્ત વિગતો અનુસાર, હુમલો લૂંટના ઇરાદે કરાયો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે. જોકે, હુમલાની ઘટનાના અહેવાલો બાદ ભરૂચ જિલ્લાના ટંકારિયામાં રહેતા યુવાનોના પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ભરૂચ જિલ્લાના મોટી સંખ્યામાં યુવાનો આફ્રિકાના દેશોમાં રોજગારી માટે વસ્યા છે. જેમના પરિવારો પણ પોતાના સ્વજનોની સુરક્ષાને લઈ ચિંતામાં મુકાઇ ગયા છે.

રાત્રે 3થી 4 ના અરસામાં ફાયરિંગ થયું:
મળતી માહિતી અનુસાર, ભરૂચના ટંકારીયા ગામના બે ભાઈઓ ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા અને અજમદ ઈબ્રાહીમ કરકરિયા રોજગારઅર્થે આફ્રિકાના ઝામ્બિયાની રાજધાની લુસાકાથી 130 કિમીના અંતરે આવેલા કાબવે ટાઉનમાં  જઈને વસ્યા છે. બંને ભાઈઓ કાબવે ટાઉનમાં ગ્રોસરી શોપ ચલાવે છે. આ દરમિયાન બંને રાતે ઘરે સુતા હતા, ત્યારે નીગ્રો લૂંટારુઓ તેમના ઘરમાં ઘૂસ્યા હતા. રાત્રે 3થી 4 ના અરસામાં લૂંટારુઓની હલચલન કારણે ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા જાગી જતા તે તપાસ માટે ઉઠ્યો હતો.

અચાનક લૂંટારુઓની સામે આવી જતા ગભરાયેલા લૂંટારુએ સીધું ફાયરિંગ કરી દીધું હતું. ઘટનામાં ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા ત્યાંજ ઢળી પડ્યો હતો. ભાઈની મદદે અજમદ આવી પહોંચતા તેને પણ ગોળી મારવામાં આવી હતી, જેના હાથના ભાગે વાગતા આ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. બે સગા ભાઈઓ ઉપર ગોળીબારની ઘટનામાં એકનું મોત નિજપતા કાબવેમાં રહેતા ગુજરાતીઓ કરકરિયા બંધુઓ પાસે દોડી ગયા હતા.

પરિવારમાં શોકનો માહોલ:
બે સાગા ભાઈઓ ઉપર હુમલો અને એકના મોતના પગલે નિવૃત એસટી કર્મચારી ઈબ્રાહીમ કરકરિયા અને તેમનું પરિવાર શોકમગ્ન બન્યું છે. જાણવા મળ્યું છે કે, ઇમરાન ઈબ્રાહીમ કરકરિયાની અંતિમવિધિ કાબવેમાં જ કરવામાં આવશે.

અનેક ભારતીયો આફ્રિકામાં:
આજકાલ મોટા ભાગના યુવાનો રોજગારી અર્થે વિદેશ જતા હોય છે. લૂંટના ઇરાદે ભારતીય યુવાનો સમયાંતરે સ્થાનિકો ટોળકીઓનો શિકાર બને છે ત્યારે સ્વજનોની ચિંતાને લઈ ગુજરાતમાં રહેતા પરિવારો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *