વડતાલધામ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરિયાતમંદોને 15 હજાર ચંપલોનું કરાયું વિતરણ

Vadtaldham Swaminarayan Mandir: શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની ગણાતી વડતાલધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા ઉનાળાની ધગધગતી ગરમીમાં (Vadtaldham Swaminarayan Mandir) ઉઘાડા પગે ચાલતા દરીદ્રનારાયણ અને જરૂરિયાતમંદો માટે ભગવાન શ્રી સ્વામિનારાયણના “સર્વજીવ હિતાવહ ”ના સંદેશને ચરિતાર્થ કરવા માટે મુખ્ય કોઠારી શ્રી ડૉ સંતવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી મોગરીના તુષાર પટેલના યજમાનપદે તા.13 એપ્રિલને રવિવારના રોજ 15 હજાર ઉપરાંત જોડી ચંપલોનું વિતરણ કરવામાં આવ્યું હતું .

પ્રાપ્ત માહિતી અનુસાર વડતાલ સંસ્થા દ્વારા અનેક વિધ સમાજ ઉપયોગી સેવા કરવામાં આવે છે. શિયાળામાં ફૂટપાથપર રેન બસેરા કરતા દરિદ્ર નારાયણોને ધાબળા વિતરણ કુદરતી આફત હોય તો જમવાની સુવિધા તથા ઉનાળા માં આકાશમાંથી વરસતી ગરમીમાં ઉઘાડા પગે ચાલતા લોકેને ગરમીથી રાહત મળે,

તે માટે 15 હજાર ચંપલનું વિતરણકરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી હરિના “ સર્વ જીવ હિતાવહ ”સંદેશ ને વરેલ વડતાલ સંસ્થા દ્વારા વડતાલમાં નિ:શુલ્ક શ્રી સ્વામિનારાયણ મલ્ટીસ્પેસ્યાલિસ્ટ હોસ્પિટલ ચલાવે છે. આ ઉપરાંત ખંભાતમાં આય (આંખની) જબરેશ્વર હોસ્પિટલ ચાલે છે.

તારીખ 13 એપ્રિલ રવિવાર ના રોજ વડતાલધામના 200 ઉપરાંત સ્વયંસેવકો ખેડા, આણંદ ( ચરોતર) ના જુદી જુદી ૪૫ રૂટો નક્કી કરી 250 ઉપરાંત ગ્રામ્ય તથા પછાત વિસ્તારોમાં જઈને જરૂરિયાતમંદો તથા દરિદ્રનારાયણોને 15 હજાર ઉપરાંત ચંપલોનું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર વિતરણ વ્યવસ્થા ચેરમેન દેવપ્રકાશદાસજી તથા શ્યામવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી કરવામાં આવી હતી.