જમ્મુ સ્ટેન્ડ પાસે બસમાંથી 15 કિલો દારૂગોળો મળ્યો, મોટા હુમલાનું કાવતરું નિષ્ફળ.

ભૂતકાળમાં જમ્મુના બસ સ્ટેન્ડ્સ આતંકવાદીઓના નિશાના રહ્યા છે અને સુરક્ષા દળોએ મંગળવારે જમ્મુ બસ સ્ટેન્ડ નજીક એક બસમાંથી આશરે 15 કિલો વિસ્ફોટકો મળીને એક મોટા આતંકી કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. બેગ કઠુઆ જિલ્લાના બિલાવર તહસીલથી આવી રહ્યું હતું.બેગ બસના કંડક્ટરને આપવામાં આવ્યું હતું.

તસ્વીરો સાંકેતિક છે.

હાલમાં સુરક્ષા દળોએ વિસ્ફોટકો મેળવ્યાં છે. મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા બાદ તેની તપાસ કરવામાં આવી રહી છે. એક શંકાસ્પદ વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

બસમાં શંકાસ્પદ માલની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ જમ્મુ બસ સ્ટેન્ડ નજીક બસ રોકી હતી અને તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિસ્ફોટકોથી ભરેલી બેગ મળી આવી હતી. એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પહેલા પણ જમ્મુ બસ સ્ટેન્ડ પર આતંકવાદીઓ તેમની કાવતરું ઘડી રહ્યા છે. આ વર્ષે 7 માર્ચે આતંકવાદીઓએ જમ્મુ બસ સ્ટેન્ડ પર ગ્રેનેડ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં 2 લોકોનાં મોત નીપજ્યાં છે જ્યારે 30 થી વધુ લોકો ઘાયલ થયા છે.

ત્યારે જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે મૃતકના નજીકના સંબંધીઓને 5 લાખ રૂપિયા અને દરેક ઈજાગ્રસ્તોને 20,000 રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *