કતારગામમાં ૧૭ વર્ષીય કિશોરીને ભાવનગર ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચરનાર ઝડપાયો

આજકાલ સુરતમાં ગુનાઓનું પ્રમાણ સતત વધી રહ્યું છે. તેમાં ચોરી, લૂંટફાટ અને દુષ્કર્મની ઘટનાઓ સતત સામે આવતી રહે છે. હાલમાં સુરતમાં એક વિદેશી યુવતીની સળગાવીને હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે.

એવામાં થોડા દિવસ પહેલાં કતારગામમાં ૧૭ વર્ષીય કિશોરીને એક રોમિયો ભગાડી લઈ ગયો હતો. ભગાડી લઈ ગયા બાદ તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ કિશોરે રોમિયોગીરી કરી કિશોરીને પોતાની પ્રેમજાળમાં ફસાવી લીધી હતી.

ત્યારબાદ અમરોલીના ઉતરાણ ગામના એક મકાનમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ આચર્યા બાદ આ યુવક યુવતીને ભગાડીને ભાવનગર શહેર લઈ ગયો હતો.

પોલીસે ભાવનગરથી કિશોરી અને આ યુવકને શોધી કાઢી યુવક પર પોસ્કો અને 376 કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, આ આરોપીનું નામ કુલદીપ પોપટભાઈ ઘોરી સામે આવ્યું છે, જેની ઉંમર 24 વર્ષની છે અને મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *