ભૂકંપના આંચકાથી હચમચી ઉઠી ગીર સોમનાથની ધરા: સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં 15 આંચકા આવ્યા

ગુજરાતના સૌરાષ્ટ્રમાં ફરી એકવાર લોકો ભૂકંપના આંચકાથી હચમચી ઉઠ્યા હતા. ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લાના તાલાલા શહેર અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મધ્યરાત્રિ 1.15 થી 9.26 દરમિયાન અહીં 19 આંચકા અનુભવાયા હતા, જેનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, તમામ આંચકાઓની તીવ્રતાને કારણે કોઈ જાનનું નુકસાન થયું નથી.

ગીર-સોમનાથ જિલ્લામાં મોડી રાત્રે ભૂકંપના આંચકા સવારે 1.15 વાગ્યાથી શરૂ થયા હતા, જે સવારે 9.26 સુધી અકબંધ રહ્યા હતા. આ સમય દરમિયાન 19 આંચકા અનુભવાયા હતા, જેમાંથી સૌથી વધુ તીવ્રતા એટલે કે, સવારે 3.3 વાગ્યે 3.3 આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્ર તાલાલા શહેરથી 12 કિમી દૂર ઉત્તર-પૂર્વમાં હતું.

તાલાલામાં 5 કલાકમાં 15 આંચકા
રાત્રે 1.15 કલાકે 2.0ની તીવ્રતાનો આંચકો
રાત્રે 1.42 કલાકે 1.7ની તીવ્રતાનો આંચકો
રાત્રે 3.11 કલાકે 2.2ની તીવ્રતાનો આંચકો

રાત્રે 3.46 કલાકે 3.3ની તીવ્રતાનો આંચકો
રાત્રે 3.55 કલાકે 3.2ની તીવ્રતાનો આંચકો
રાત્રે 3.56 કલાકે 3.1ની તીવ્રતાનો આંચકો
રાત્રે 3.58 કલાકે 1.8ની તીવ્રતાનો આંચકો

રાત્રે 4.07 કલાકે 2.4ની તીવ્રતાનો આંચકો
રાત્રે 4.44 કલાકે 2.9ની તીવ્રતાનો આંચકો
રાત્રે 5.26 કલાકે 2.0ની તીવ્રતાનો આંચકો
રાત્રે 5.27 કલાકે 3.1ની તીવ્રતાનો આંચકો

રાત્રે 5.28 કલાકે 2.5ની તીવ્રતાનો આંચકો
રાત્રે 5.35 કલાકે 1.08ની તીવ્રતાનો આંચકો
રાત્રે 5.40 કલાકે 1.4ની તીવ્રતાનો આંચકો
રાત્રે 6.09 કલાકે 2.0ની તીવ્રતાનો આંચકો

પાંચ દિવસ પહેલા 24 કલાકમાં ગીર સોમનાથ પંથકમાં ભૂકંપના 13 આંચકા
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ગત 24 કલાક ગીર સોમનાથના વાસીઓ માટે ભારે રહ્યા હતા. છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ પંથકમાં ભૂકંપના 13 આંચકા આવ્યા હતા. ભરશિયાળે આટલા બધા આંચકા (earthquake) થી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, તમામ આંચકાની તીવ્રતા ઓછી હતી, જેથી હોઈ જાનહાનિ થઈ નથી. ધાવા, સુરવા, હડમતિયા, માધુપુર સહિતના વિસ્તારોમાં આ આંચકા અનુભવાયા છે.

પંદર દિવસ પહેલા ભાવનગરમાં બે આંચકા અનુભવાયા હતા
ચાર દિવસ પહેલા ભાવનગર નજીકના દરિયામાં 2.0 ની તીવ્રતાના બે ભૂકંપ નોંધાયા હતા. શહેરથી 44 કિમી દૂર દરિયામાં આ બે હળવા ભૂકંપ ચાર દિવસ પહેલા સવારે 4 વાગ્યે નોંધાયા હતા. રિકટર સ્કેલ પર 2 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જોકે, ભાવનગરના રહીશો દ્વારા તે અનુભવાયું ન હતું.

બે મહિના અગાઉ પણ રાજકોટમાં આવી ચૂક્યા છે ભુકંપના આંચકા
રાજકોટમાં એક મહિના પહેલા બપોરે 1.25 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. જોકે, ભૂકંપથી શહેરને કોઈ નુકસાન થયું નથી. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 27 કિમી દૂર હતું. આ અગાઉ 16 જુલાઇએ રાજકોટમાં 8.8 ની તીવ્રતાના ભુકંપના આંચકા અનુભવાયા હતા. જે લોકો કંપન અનુભવતા હતા તે ઘરની બહાર નીકળી ગયા હતા. ભૂકંપનું કેન્દ્ર રાજકોટથી 22 કિમી દૂર રાજકોટના કોટડા સાંગાણી તાલુકામાં નોંધાયું હતું. વહેલી સવારના ભુકંપથી લોકોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *