એક્સપ્રેસવે પર બસ અને કાર વચ્ચે ગમખ્ત્વાર અકસ્માત, 5 લોકોનાં મોત

ઉત્તર પ્રદેશના કન્નોજ પાસે આગ્રા-લખનઉ એક્સપ્રેસવે પર રવિવાર સવારે થયેલા ભીષણ અકસ્માતમાં પાંચ લોકોનાં મૃત્યુ નીપજ્યા છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા છે.

મળતી માહિતી અનુસાર, અનિયંત્રિત બસે કારને ટક્કર મારી દીધી. જેના કારણે બસ અને કાર બંને ખાડામાં જઈને પડ્યા હતા. હાલ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ઘાયલોને નજીકની હૉસ્પિટલ અને સૈફઈ મેડિકલ કોલેજમાં લઇ જવામાં આવ્યા છે.

પ્રાપ્ત થતી જાણકારી મુજબ, બસ દિલ્હીથી બિહાર જઈ રહી હતી. ત્યારે ઓવર સ્પીડ બસ અનિયંત્રિત થઈને કારને ટક્કર મારીને ખાડામાં ગબડી પડી. અનેક ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. સાથોસાથ મોતનો આંકડો પણ વધી શકે છે.

પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસ દિલ્હીથી બિહારના દરભંગા જઈ રહી હતી તે સમયે સવારે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બસ બાજુના ખાડામાં ગબડી પડતાં તેમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ થઈ છે. સ્થાનિક લોકો, પોલીસ અને પ્રશાસને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં ખસેડ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *