ખાગરિયામાં જાનૈયા ભરેલી XUV અને ટ્રેક્ટર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાતા 7 લોકોના ઘટના સ્થળે જ કરૂણ મોત, 3 ઘાયલ

Bihar Accident: બિહારના ખગરિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં(Bihar Accident) 7 લોકોના મોત થયા છે. લગ્નના મહેમાનોથી ભરેલી કાર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી,…

Bihar Accident: બિહારના ખગરિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં(Bihar Accident) 7 લોકોના મોત થયા છે. લગ્નના મહેમાનોથી ભરેલી કાર અને ટ્રેક્ટર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેમાં કારમાં સવાર ત્રણ બાળકો સહિત કુલ 7 લોકોના મોત થયા છે.તો આ સાથે જ આ અકસ્માતમાં 4 લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે.

બિહારના ખગરિયા જિલ્લાના પસરહા પોલીસ સ્ટેશન વિસ્તારના NH-31 પર વિદ્યારત્ન પેટ્રોલ પંપ પસરહા પાસે એક ભયાનક માર્ગ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સોમવારે સવારે ચૌથમ પોલીસ સ્ટેશન વિસ્તારના થુથી મોહનપુર ગામથી મડૈયા ઓપી વિસ્તારના બિથલા ગામના ઈન્દ્રદેવ ઠાકુરના પુત્ર સૌરભ કુમારના લગ્ન બાદ લગ્નના તમામ મહેમાનો પરત ફરી રહ્યા હતા. દરમિયાન લગ્નના કેટલાક મહેમાનો XUV વાહનમાં પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન વિદ્યારત્ન પેટ્રોલ પંપ પાસે સિમેન્ટ ભરેલા ટ્રેક્ટર સાથે અથડામણ થઈ હતી.ત્યારે આ માર્ગ અકસ્માતમાં મદૈયા ઓપી વિસ્તારના બિથલાના 55 વર્ષીય પ્રકાશ સિંહ અને 8 વર્ષીય ગૌતમ કુમાર, સૌરભ કુમારના પિતરાઈ ભાઈ અને અન્ય સંબંધીઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા.

7 લોકોના મોત થયા છે
પીટીઆઈના જણાવ્યા અનુસાર, પોલીસ દ્વારા આ અકસ્માતની માહિતી પણ સામે આવી છે. અત્યાર સુધી મળેલી અપડેટ મુજબ, ખાગરિયામાં આ માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. આ અકસ્માત જીપ અને ટ્રેક્ટર વચ્ચે થયો હતો.આ અકસ્માતમાં અન્ય છ લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવાય છે.

કેવી રીતે થયો અકસ્માત?
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ દુર્ઘટના આજે સવારે લગભગ 6.30 વાગ્યે પસરહા વિસ્તારમાં પેટ્રોલ પંપ પાસે થઈ હતી. મળતી માહિતી મુજબ બંને વાહનો સામસામે આવી રહ્યા હતા અને એકબીજા સાથે અથડાયા હતા. અધિકારીએ જણાવ્યું કે જીપમાં સવાર લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા. બીજી તરફ ટ્રેક્ટરમાં તેની ક્ષમતા કરતાં વધુ લોડ હતો.અકસ્માતમાં લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

પોલીસે તપાસ હાથ ધરી
પોલીસ અધિકારીએ જણાવ્યું કે તમામ ઘાયલ લોકોને આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરવામાં આવ્યા છે. ખાગરિયાના પોલીસ અધિક્ષક ચંદન કુશવાહાએ પણ આ મામલે નિવેદન બહાર પાડ્યું છે. તેમણે કહ્યું કે વરિષ્ઠ પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી અને મામલાની તપાસ કરવામાં આવી હતી.તો બીજી તરફ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

મૃતકોમાં 3 બાળકો પણ શામેલ
મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પસરા પોલીસની ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની તપાસ કરી હતી.ત્યારે આ અંગે ગોગરીના એસડીપીઓ રમેશ કુમારે ફોન પર જણાવ્યું હતું કે હવે પ્રથમ પ્રાથમિકતા અકસ્માતમાં ઘાયલ

હચમચાવી દેતી ઘટના
બૈસા પંચાયતના ભૂતપૂર્વ વડા શિવ યાદવે, જેઓ બિથલા ગામમાંથી તેમના પરિવારના સભ્યો સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, તેમણે કહ્યું કે આ ઘટના ખૂબ જ હૃદયદ્રાવક છે.લગ્નમાંથી પંચાયતથી ચોથમ માટે ગયા જ્યાંથી પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો.