રાજ્યના 108 મંદિરોમાં હવે મસ્જિદની જેમ લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા વગાડી શકાશે

વડોદરા(ગુજરાત): હવે અઝાનની જેમ ગુજરાતમાં લાઉડ સ્પીકર પર હનુમાન ચાલીસા સાંભળવા મળશે. ગુજરાતના એક શહેરમાં અનોખુ અભિયાન શરૂ કર્યું છે. હેવ લાઉડ સ્પીકર પર ગુજરાતના ત્રીજા મોટા શહેરના મંદિરોમાં હનુમાન ચાલીસાના પાઠ વાગશે. વડોદરા શહેરના 108 મંદિરોમાં હનુમાન ચાલીસા અને દિવસમાં બે વાર આરતી કરવા માટે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવામાં આવશે. સ્થાનિક સંગઠન મિશન રામ સેતુ દ્વારા આ પહેલ કરવામાં આવી છે.

શ્રાવણ મહિનાના પહેલા સોમવારના રોજ વડોદરાના કાલાઘોડા વિસ્તારના પંચમુખી હનુમાન મંદિરમાં લાઉડ સ્પીકરનું વિતરણ શરૂ કરવામાં આવ્યુ છે. લાઉડ સ્પીકર વિતરણ કરવાની પહેલ પર રામ સેતુ મિશનના અધ્યક્ષ દીપ અગ્રવાલે કહ્યું હતું કે, લાઉડ સ્પીકર લગાવવા પાછળનો હેતુ ભક્તો ઘરે બેસીને હનુમાન ચાલી, આરતી અને અન્ય ભક્તિ ગીત સાંભળીને તેનો લાભ ઉઠાવે તેવો છે. કોરોના મહામારીને કારણે સરકારી ગાઈડલાઈન મુજબ અનેક મંદિરોમાં પ્રતિબંધ મૂકાયા છે. જેથી મંદિર ન જઈ શકતા ભક્તો ઘરે જ હનુમાનચાલીસા અને આરતી સાઁભળી શકશે.

દીપક અગ્રવાલે આ વિશે જણાવ્યું હતું કે, અમારી પાસે 78 મંદિરોએ લાઉડ સ્પીકર મેળવવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. લાઉડ સ્પીકરનું વિતરણ બુધવારથી કરવામાં આવ્યું હતું. જેમાં નાના મોટા અનેક મંદિરોને લાઉડ સ્પીકર આપવામાં આવ્યા છે. વિશ્વ હિન્દુ પરિષદે પોતાના ફેસબુક પર આ માહિતીને શેર કરી છે. સંગઠને જણાવ્યું હતું કે, ગયા વર્ષે પણ કેટલાક મંદિરોને શ્રાવણ મહિના દરમિયાન લાઉડ સ્પીકર આપવામાં આવ્યા હતા. આ બાબતને સોશિયલ મીડિયા પર અનેક લોકો સમર્થન આપી રહ્યાં છે. લોકોનું કહેવુ છે કે, દેશના અન્ય શહેરોમાં પણ આ પ્રકારની પહેલ થવી જોઈએ.

આ મિશન હેઠળ મોટું મંદિર હશે તો 2 લાઉડ સ્પીકર અને નાનું હશે તો 1 લાઉડ સ્પીકર અપાશે. 78 મંદિરોના રજિસ્ટ્રેશન આવ્યાં છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે પંચમુખી હનુમાનજી મંદિરમાં શહેર ભાજપ અધ્યક્ષ ડો.વિજય શાહ, મહામંત્રી સુનિલ સોલંકી અને જશવંતસિંહ સોલંકીના હસ્તે મંદિરને લાઉડ સ્પીકર આપવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *