દીકરીના લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ- લગ્નના એક મહિના પહેલા જ દીકરીએ વહાલસોયા પિતા ગુમાવ્યા

હરિયાણા: દીકરીના લગ્નમાં સૌથી વધુ અરમાનો તેના પિતાને હોય છે. પરંતુ, હરિયાણા માંથી એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે જેમાં એક દીકરીના લગ્ન પહેલા જ તેના પિતાનું મૃત્યુ થઇ ગયું હતું. પોલીસ સ્ટેશનમાંથી તેમના ઘરે આ માહિતી આપવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, SHO દલવીર સિંહની દીકરીના એક મહિના પછી લગ્ન થવાના હતા. દીકરીના લગ્ન થવાના હતા જેણે લઈને પરિવાર ખુબ જ ખુશ હતો અને લગ્નની તૈયારીઓમાં લાગી ગયો હતો. આ લગ્નના અડધાથી વધારે કામ થઇ ગયા હતા ફક્ત કાર્ડ જ બાકી રહ્યા હતા.

પરિવારના જણાવ્યા અનુસાર, દલવીર સિંહ તેમની દીકરીના કન્યાદાન કરવા માટે ખુબ જ ખુશ હતા અને તેમની દીકરીના લગ્ન વિષે એવી ઘણી બધી વાતો પણ તેમણે કરી હતી પરંતુ, લગ્ન પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું. જેથી પરિવારની બધી જ ખુશી માતમમાં ફેરવાઈ હતી.

જયારે તેમના મૃત્યુની વાત પરિવારને જાણવા મળી તો પરિવારના લોકો ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યા હતા અને જે વખતે તેમના મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો તે વખતે દીકરી રડતા-રડતા એવું કહેતી હતી કે પપ્પા જાગો. આ સાંભળીને પરિવારના લોકો પણ રડવા લાગ્યા હતા. ઘરના મોભીનું મોત નીપજતા પરિવાર પણ જાણે આભ ફાટી પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *