બાથરૂમમાં સાથે નહાવા ગયેલા કપલને ક્યા ખબર હતી મોત તેમની રાહ જોઈ રહ્યું છે- જાણો ક્યા બની હૈયું ધ્રુજાવી દેતી ઘટના

બાથરૂમ ગીઝર(Bathroom geyser)ના કારણે અનેક ઘટનાઓ ઘટી ચુકી છે. આવા જ એક અકસ્માતના સમાચાર હરિયાણા(Haryana)ના કરનાલ(Karnal)થી સામે આવ્યા છે. અહીં એક પરિવારની હોળીની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી. મળતા સમાચાર મુજબ, ખરૌંડામાં મીઠાઈની દુકાનના માલિકના પુત્ર અને પુત્રવધૂનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે.

જણાવવામાં આવી રહ્યું છે કે હોળી રમ્યા બાદ કપલ નહાવા માટે બાથરૂમમાં ગયા હતા. આ પછી, જ્યારે તેઓ લાંબા સમય સુધી બહાર ન આવ્યા, ત્યારે તપાસ કરતા, બંને ત્યાં મૃત હાલતમાં પડ્યા હતા. પ્રાથમિક દ્રષ્ટિએ, મૃત્યુનું કારણ ગીઝરના વધતા ગેસને કારણે હોવાનું માનવામાં આવે છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

મળતી માહિતી મુજબ, 27 વર્ષીય ગૌરવ તેની પત્ની શિલ્પી સાથે હોળીની ઉજવણી કરીને ઘરે પરત ફર્યો હતો. હોળીનો રંગ ઉતારવા બંને કપલ સ્નાન કરવા બાથરૂમમાં ગયા હતા. આ દરમિયાન બાથરૂમમાં ગેસ ગીઝરમાંથી ગેસ લીક ​​થવાને કારણે બંને ત્યાં બેભાન થઈ ગયા હતા. બાથરૂમમાં ગૌરવ અને શિલ્પી સાથે બનેલી ઘટના અંગે પરિવારજનોને કોઈ ખ્યાલ નહોતો. લગભગ 2 કલાક પછી જ્યારે ગૌરવના પરિવારજનોએ બાથરૂમ ખોલીને જોયું તો તેઓના હોંશ ઉડી ગયા હતા. પતિ-પત્નીને બેભાન અવસ્થામાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. તહેવારના દિવસે બનેલી આ ઘટના બાદ પરિવારની ખુશી માતમમાં ફેરવાઈ ગઈ હતી.

27 વર્ષીય ગૌરવ અને 25 વર્ષીય શિલ્પીના લગ્ન ત્રણથી ચાર મહિના પહેલા જ થયા હતા. હોળી નિમિત્તે ગૌરવ તેની પત્ની સાથે તેના સાસરે ગયો હતો, ત્યાં બંને હોળીની ઉજવણી કરીને બપોરે ઘરે પરત ફર્યા હતા. આ પછી તે હોળીનો રંગ ઉતારવા નહાવા ગયા હતા. પતિ-પત્નીના મોતની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *