ગુજરાતના લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીરના પિતાનું 103 વર્ષની વયે નિધન- ‘ઓમ શાંતિ’

ગુજરાત (Gujarat)ના લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીર (Mayabhai Ahir)ને સૌ કોઈ જાણે જ છે. ત્યારે હાલ તેમના પરિવારમાં એક ખૂબ જ દુઃખદાયક ઘટના બની છે. જાણવા…

ગુજરાત (Gujarat)ના લોકપ્રિય કલાકાર માયાભાઈ આહીર (Mayabhai Ahir)ને સૌ કોઈ જાણે જ છે. ત્યારે હાલ તેમના પરિવારમાં એક ખૂબ જ દુઃખદાયક ઘટના બની છે. જાણવા મળ્યું છે કે, માયાભાઈ આહીરના પિતાશ્રી વીરા આતાજી (Veera Ataji)નું 103 વર્ષની વયે નિધન થયું છે. સોશિયલ મીડિયા(Social media) દ્વારા દરેક લોકપ્રિય કલાકારોએ આ દુઃખદ સમાચાર આપ્યા છે, ત્યારે માયાભાઈ આહીએ પણ પોતાના પિતાશ્રીના નિધનની ખબર આપી છે. આ દુઃખદ સમાચારથી ગુજરાતી લોકસાહિત્ય કલાકારોની દુનિયામાં પણ શોકમય વાતાવરણ છવાઈ ગયું છે.

આ અંગે માયાભાઈ આહિરે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરતા જણાવેલ છે કે, અમારા પિતાશ્રી વિતા આતાનું આજ રોજ તા.30/07,2022ના રોજ 103 વર્ષની ઉંમરે નિધન થયું છે. સદ્ગતના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ અર્પે એવી પ્રાર્થના. તેઓની અંતિમ યાત્રા આવતીકાલે 31/7/2022 સવારે 8:00 કલાકે બોરડા મુકામે રાખેલ છે. ખરેખર આ દુઃખ સમાચાર માયાભાઈ આહીરના પરિવારમાં આભ ફાટયા સમાન છે.

આજે સૌ કોઈ જાણે જ છે કે, માયાભાઈ આહીર જીવનમાં ખૂબ જ સંઘર્ષ કરીને આજે આ ઉચ્ચ પદે પહોંચ્યા છે. તેમની જીવનની સફળતા અને નિષ્ફળતાના તેમના પિતાશ્રી સાક્ષી રહ્યા છે, જીવનના દરેક ઉતાર અને ચઢાણમાં તેમને પોતાના પિતાશ્રી પાસે માર્ગદર્શન મેળવ્યું હશે ને જીવનમાં અનેક શીખો મેળવી હશે.

આજે જ્યારે 103 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે, ત્યારે ખરેખર એક દીકરા માટે તો આ ક્ષણ આધાર ગુમાવ્યા બરોબર જ કહેવાય. દુ:ખદ ઘટનાના સમાચાર મળતા જ દરેક લોક સાહિત્ય કલાકારોમાં શોકમઈ વાતાવરણ થઈ ગયું છે. લોકપ્રિય સાહિત્યકાર રાજભા ગઢગીએ પોતાના સોશિયલ મીડિયામાં આ દુઃખ સમાચાર વિશે જણાવેલ અને માયાભાઈ આહીરનાં પિતાશ્રીની શ્રધ્ધાજંલી પાઠવેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *