ઉત્તરકાશી(Uttarkashi)માં હિમસ્ખલનની દુર્ઘટના(Avalanche Disaster)માં અત્યાર સુધીમાં 19 લોકોના મોત(19 people died) થયા છે અને દુર્ઘટનામાં 13 લોકો હજુ પણ લાપતા હોવાનું કહેવાય છે. નોંધનીય છે કે છેલ્લા 70 કલાકથી 30 રેસ્ક્યુ ટીમ રેસ્ક્યુ ઓપરેશન(Rescue operation)માં લાગેલી છે અને રેસ્ક્યુ ઓપરેશન હજુ પણ ચાલુ છે. ખરાબ હવામાનને કારણે બચાવ કામગીરી સમયાંતરે અટકાવવી પડી છે. તમને જણાવી દઈએ કે આ દુર્ઘટના દ્રૌપદીના દંડ શિખર પાસે થઈ હતી.
#UPDATE Uttarkashi avalanche | A total of 19 bodies have been recovered from the crevice. Efforts will be made to bring the bodies to Matli helipad by Advanced Light Helicopter today. Total 30 rescue teams deployed: Uttarakhand DGP Ashok Kumar
(File photo) pic.twitter.com/o2bknqymnt
— ANI UP/Uttarakhand (@ANINewsUP) October 7, 2022
ઉત્તરાખંડના ડીજીપી અશોક કુમારે શુક્રવારે માહિતી આપી હતી કે, હિમસ્ખલન બાદ કુલ 19 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. આજે અદ્યતન લાઇટ હેલિકોપ્ટર દ્વારા મૃતદેહોને મૌલી હેલિપેડ પર લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ડીજીપીએ કહ્યું કે કુલ 30 બચાવ ટીમો તૈનાત કરવામાં આવી છે, જે છેલ્લા 70 કલાકથી સતત બચાવ કાર્યમાં લાગેલી છે.
રવિવારે ઘટી હતી દુર્ઘટના:
તમને જણાવી દઈએ કે, નેહરુ પર્વતારોહણ સંસ્થાની ટીમ ઉચ્ચ હિમાલયના ક્ષેત્રમાં તાલીમ માટે નીકળી હતી, તે દરમિયાન ટીમના 29 સભ્યો રવિવારે ડોકરાણી બમાક ગ્લેશિયર વિસ્તારમાં હિમપ્રપાતની નીચે આવી ગયા હતા અને ઘણા લોકો લાપતા થઈ ગયા હતા. ગુરુવારે સવારે લગભગ 7.30 વાગ્યાથી ઘટના સ્થળે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
પગપાળા નીકળેલી SDRF, NDRF, ITBPની ટીમ બુધવારે ઘટનાસ્થળેથી ત્રણ કલાકના અંતરે પહોંચી હતી. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે અને આ દરમિયાન વહીવટીતંત્રે સંબંધીઓને કહ્યું કે ઘટના સ્થળે ખરાબ હવામાનને કારણે હજુ સુધી મૃતદેહો લાવવાનું શક્ય નથી. હવામાન સ્પષ્ટ રહેતા આજે મૃતદેહોને માટલ હેલિપેડ પર લાવવામાં આવે તેવી શક્યતા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.