કેદારનાથ, 3 ઈડિયટ્સ જેવા દિગ્ગજ મુવીમાં કામ કરનાર અભિનેતાનું 79 વર્ષની વયે નિધન- ‘ઓમ શાંતિ’

આજરોજ સવાર સવારમાં બોલિવૂડ જગત(Bollywood world)ને હચમચાવી દે તેવા ખરાબ સમાચાર સામે આવ્યા છે. હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા અરુણ બાલી(Arun Bali Death)નું 79 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે. અહેવાલો અનુસાર, અરુણ બાલીએ સવારે 4.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. સોશિયલ મીડિયા પર ઘણા સેલેબ્સ અને ચાહકો શોક વ્યક્ત કરી રહ્યા છે અને ચાહકો તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. અરુણ બાલીના નિધનથી ટીવી અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

અરુણ બાલીનો જન્મ 23 ડિસેમ્બર 1942ના રોજ લાહોરમાં થયો હતો. તેણે ઘણા દિગ્ગજ કલાકારો સાથે પણ કામ કર્યું હતું. અરુણ બાલી લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા. તેઓ માયસ્થેનિયા ગ્રેવિસ નામની દુર્લભ બીમારીથી ઘેરાયેલા હતા. તે એક સ્વયંપ્રતિરક્ષા રોગ છે જે ચેતા અને સ્નાયુઓ વચ્ચેના કમ્યુનિકેશન ફેલ થવાને કારણે થાય છે.

અરુણ બાલીએ 90ના દાયકામાં પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે 1991માં આવેલી ફિલ્મ સૌગંધથી ડેબ્યૂ કર્યું હતું. તે તેની કારકિર્દીમાં 50 થી વધુ ફિલ્મોમાં જોવા મળ્યા હતા. તે છેલ્લે આમિર ખાન અને કરીના કપૂર સ્ટારર લાલ સિંહ ચઢ્ઢામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેનો રોલ નાનો હતો પરંતુ તેને સારો પ્રતિસાદ મળ્યો હતો.

તે રાજુ જેન્ટલમેન, ખલનાયક, જબ વી મેટ, ફૂલ ઔર અંગારે, લગે રહો મુન્ના ભાઈ, ઓમ જય જગદીશ, પોલીસમેન ગુંડા, માસૂમ, સત્ય, શિકારી, 3 ઈડિયટ્સ, બરફી, પીકે, બાગી, મનમર્ઝિયાં, પાણીપત, સમ્રાટ પૃથ્વીરાજ બન્યા હતા. કેદારનાથ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. તે જ સમયે, અરુણ બાલી બોલિવૂડની સાથે સાથે ટીવીમાં પણ ખૂબ સક્રિય હતા. તેણે બે ડઝનથી વધુ ટીવી શોમાં કામ કર્યું. તેણે ‘બાબુલ કી દુઆં લેતી જા’, કુમકુમ જેવી ઘણી સિરિયલોમાં કામ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *