સુરતમાં મેટ્રો માટે રસ્તો ખોદતાં સમયે એવી વસ્તુ મળી આવે કે, જેને જોવા હેમાલી બોઘાવાલા પણ દોડી આવ્યા

સુરત(Surat): શહેરના કેટલાક વિસ્તારોમાં જમીનમાંથી સમયાંતરે અનેક એવી ઐતિહાસિક અને સૌ લોકોને ચોંકાવી દે તેવી ચીજ વસ્તુ મળી આવતી હોય છે કે, જેને લઈને પુરાતત્વ વિભાગ(Department of Archaeology)ના અધિકારીઓને પણ તરત જ દોડતું થઈ જવું પડતું હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સુરતથી સામે આવ્યો છે. સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન કરવામાં આવી રહેલા ખોદકામ દરમિયાન એવી વસ્તુઓ મળી આવી કે સ્થાનિકોની મોટી ભીડ જોવા માટે ઊમટી પડી હતી.

ખોદકામ દરમિયાન જૂની તોપના ત્રણ નાળચા મળી આવ્યા:
મળતી માહિતી અનુસાર, સુરત શહેરના ચોક બજાર કિલ્લા વિસ્તારમાં મેટ્રો લાઈનની કામગીરી ચાલી રહી છે. જેના લીધે જુદી જુદી જગ્યાઓ પર ખોદકામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ દરમિયાન ચોક બજાર વિસ્તારમાં ખોદકામ દરમિયાન જૂની તોપના ત્રણ નાળચા મળી આવતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા હતા.

સુરતના મેયર હેમાલી બોઘાવાલા ચોક બજાર ખાતે દોડી આવ્યા:
ત્યારે આ અંગેની જાણ થતાં સુરત મહાનગરપાલિકાના મેયર હેમાલી બોઘાવાલા ચોક બજાર ખાતે દોડી આવ્યા હતા. તેઓએ જણાવતા કહ્યું હતું કે, મેટ્રો લાઈનની કામગીરી દરમિયાન ચોક બજારના પેટ્રોલ પંપ નજીક ખોદકામ દરમિયાન જમીનમાંથી ઔતિહાસિક ટોપના નાળચા મળી આવ્યા હતા અને આ ત્રણેય તોપના નાળચાની લંબાઈ 5 થી 7 ફૂટ છે. જે સ્થળે તોપના નાળચા મળી આવ્યા હતા તેનાથી 50 મીટર દૂર જ ઐતિહાસિક કિલ્લો આવે છે. સમગ્ર મામલે મહાનગરપાલિકા દ્વારા આર્કોલોજી વિભાગને જાણ કરવામાં આવી છે.

મહત્વનું છે કે, ખોદકામ દરમિયાન તોપના નાળચા મળી આવતા સ્થાનિકોની મોટી ભીડ જોવા માટે ઊમટી પડી હતી. આ તોપ સુરતમાં મેટ્રોની કામગીરી દરમિયાન કરવામાં આવી રહેલા ખોદકામ દરમિયાન મળી આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *