સીટીઝન બીલ રાજ્યસભામાં પણ થયું પાસ, તરફેણ માં પડ્યા આટલા મત

દેશના ઉતર-પૂર્વના રાજ્યોમાં હિંસક વિરોધ અને વિપક્ષના હોબાળા વચ્ચે લોકસભા બાદ આખરે રાજ્યસભામાં પણ સિટિઝનશિપ કાયદામાં સુધારા કરતા બિલને પસાર કરી દેવામાં આવ્યું છે. રાજ્યસભામાં ભાજપને જેડી-યુ, અકાલી દળ, એઆઇએડીએમકે અને બીજેડી જેવા પક્ષોએ સમર્થન આપ્યું હતું, જેથી બિલના તરફેણમાં ૧૨૫ મત જ્યારે વિરોધમાં ૧૦૫ મત પડયા હતા. જોકે બિલ પસાર કરવા માટે ૧૨૫ મત પુરતા હતા તેથી છેલ્લે સરકારની જીત થઇ છે અને બિલ પસાર થઇ ગયું છે. આ સાથે જ હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા શરણાર્થીઓને ભારતની નાગરિક્તા મળશે, જોકે તેમાં મુસ્લિમોનો સમાવેશ કરવામાં નહીં આવે. રાજ્યસભામાં બિલ પર ચર્ચા ચાલી રહી હતી ત્યારે વિરક્ષે બિલનો વિરોધ કર્યો હતો અને તેને કમિટી સમક્ષ મોકલવાની માગણી કરી હતી.

જોકે કમિટી પાસે આ બિલ મોકલવું કે નહિ તે માટે રાજ્યસભામાં મતદાન થયું હતું અને કમિટી સમક્ષ મોકલવાના વિરોધમાં ૧૨૪ મત પડયા હતા જ્યારે સમર્થનમાં ૯૯ મત પડયા હતા તેથી કમિટી સમક્ષ બિલ મોકલવાનો પ્રસ્તાવ ખારીજ કરી દેવાયો હતો. અંતે બિલ પસાર કરવા કે ન કરવા મતદાન થયું હતું અને બિલને સમર્થનમાં ૧૨૫ મત મળતા રાજ્યસભાએ બીલને મહોર મારી દીધી છે અને તેને હવે રાષ્ટ્રપતિ સમક્ષ મોકલવામાં આવશે.

કોંગ્રેસના નેતા આનંદ શર્માએ આ બિલનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને સરકારની દલીલો પર સવાલો ઉઠાવ્યા હતા. આનંદ શર્માએ જણાવ્યું હતું કે અમિત શાહ કહે છે કે અમારા મેનિફેસ્ટોમાં આ બિલ અંગે ઉલ્લેખ કર્યો હતો અને અમે અમારુ વચન પાળી રહ્યા છીએ. અમિત શાહ એ ભુલી રહ્યા છે કે રાજકીય પક્ષનો ચૂંટણી ઢંઢેરો બંધારણથી મોટો ન હોઇ. કોંગ્રેસે બાદમાં ભાજપને સરદાર વલ્લભભાઇ પટેલ અને ગાંધીજીની યાદ અપાવી હતી અને કહ્યું હતું કે જો નરેન્દ્ર મોદીને સરદાર પટેલ મળ્યા હોત તો ખુબ ગુસ્સે થઇ જાત કેમ કે તેઓ ક્યારેય દેશમાં કોમવાદ ફેલાવ્યો નથી. એક બાજુ ગાંધીજીની ૧૫૦મી જયંતી ઉજવી રહ્યા છો અને બીજી તરફ આ બિલ પસાર કરી કોમવાદી વાતાવરણ ઉભુ કરી બંધારણની હત્યા કરી રહ્યા છો તે જોઇને ખુદ ગાંધીજી હોત તો તેઓ પણ દુઃખી થાત. ગાંધીજીની ચશ્મા માત્ર જાહેરાતો માટે કે રાજકારણ માટે નથી, આ ચશ્માથી દેશને જોવો પણ એટલો જ જરૂરી છે. ગાંધીજી કોમવાદના વિરોધી હતા અને આ સરકાર કોમવાદ ફેલાય તેવું કરી રહી છે.

સિટિઝનશીપ એમેન્ડમેન્ટ બિલની મુખ્ય જોગવાઇઓ

હાલ સરકાર જે નાગરિક્તા કાયદા સુધારા બિલ લાવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી ભારતમાં આવેલા શરણાર્થી હિંદુ, શીખ, પારસી, ખ્રિસ્તી, બૌદ્ધ વગેરેને ભારતની નાગરિક્તા આપવામાં આવશે પણ તેમાં મુસ્લિમોનો સમાવેશ નહીં કરી શકાય. આ ત્રણ દેશોના એવા શરણાર્થીઓ કે જેઓ ૩૧મી ડિસેમ્બર, ૨૦૧૪ની નક્કી કરાયેલી તારીખ પહેલા ભારતમાં રહેતા હોય તેઓ સરકાર સમક્ષ ભારતીય નાગરિક્તા માટે અપીલ કરી શકશે. હાલની જોગવાઇ મુજબ ભારતની નાગરિક્તા લેવા માટે ૧૧ વર્ષ સુધી અહીં વસવાટ જરૂરી છે, જોકે હવે ત્રણ દેશોના શરણાર્થીઓ માટે ૬ વર્ષ કરી નાખવામાં આવ્યા છે. જો આવા કોઇ શરણાર્થી પર દેશમાં કેસ ચાલતો હોય તો તેને કારણે આવા શરણાર્થીઓને નાગરિકતા મેળવતા અટકાવવામાં આવશે નહીં. ઓસીઆઇ કાર્ડધારક જો શરતોનું ઉલ્લંઘન કરે તો તેનું કાર્ડ રદ કરવાનો અધિકાર કેન્દ્રને રેહશે. જોકે તેઓને સાંભળવામાં પણ આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *