આગામી 16 સપ્ટેમ્બરે PM મોદી આવી શકે છે ગુજરાતની મુલાકાતે, જાણો શું છે આખો કાર્યક્રમ

PM Modi Visit Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં ગુજરાતની મુલાકાતે આવી શકે છે. મળતી માહિતી અનુસાર 16 સપ્ટેમ્બરના રોજ તેઓ ગુજરાતની મુલાકાત લેશે. આ સાથે જ 17 સપ્ટેમ્બરના રોજ તેમનો જન્મદિવસ હોઇ તેઓ ગુજરાત ખાતે થનાર કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં પીએમ મોદી(PM Modi Visit Gujarat) ગાંધીનગર ખાતે યોજાનાર ગ્રીન એનર્જી સમિટમાં ભાગ લઈ શકે છે. જેથી તેઓ તારીખ 16 સપ્ટેમ્બરના જ તેઓ અમદાવાદ આવી જશે તેવી માહિતી મળી હતી.

મળતી વિગતો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બરે સમિટમાં ભાગ લીધા બાદ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરી શકે છે. એટલું જ નહીં પ્રધાનમંત્રીના સત્તાવાર કાર્યક્રમમાં બીજા પણ કાર્યક્રમ સામેલ હોવાની વિગત જાણવા મળી છે.

તમને જણાવી દઈએ કે તારીખ 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. જેથી તેઓ એક દિવસ અગાઉ એટલે કે 16 સપ્ટેમ્બરના રોજ અમદાવાદ આવશે. જે બાદ 17ના રોજ તેમનો જન્મદિવસ છે અને આ દિવસે તેઓ ગાંધીનગર ખાતે ગ્રીન એનર્જી સમિટમાં ભાગ લેશે તેમ માહિતી મળી રહી છે. આ ઉપરાંત જન્મદિવસને લઇ અન્ય કાર્યક્રમો થવાની પણ વાતો ચર્ચાઇ રહી છે.

સૂત્રો પાસેથી માહિતી અનુસાર જન્મદિવસે અમદાવાદ ખાતે અમદાવાદ શહેર પોલીસ કમિશનરની કચેરીનું લોકાર્પણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17મી સપ્ટેમ્બર મોડીરાતે પરત ફરશે. જો કે વડાપ્રધાનના અન્ય કાર્યક્રમો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે અને તેઓના કાર્યક્રમની સત્તાવાર જાહેરાત પીએમ કાર્યાલયમાંથી થશે.