માંતેલા સાંઢની જેમ આવતાં ટ્રકે રીક્ષાને ટક્કર મારતા 9 લોકોના મોત, પરિવારનું હૈયાફાટ રુદન

Damoh Accident: મધ્યપ્રદેશમાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. મધ્યપ્રદેશના દમોહ નજીક એક ટ્રેકે ઓટોને ટક્કર મારતા 7 લોકોના મોત થયા છે. આ ગમખ્વાર અકસ્માતમાં (Damoh Accident) 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તો આ અકસ્માતને પગલે પોલીસ પણ સ્થળ પર પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

સાત લોકોના ઘટનાસ્થળે જ મોત
જાણકારી મુજબ દમોહના સમન્ના તિરહૈ પાસે એક પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે ઓટોને ટક્કર મારી અને ઓટોમાં બેસેલા તમામ લોકોને કચડી નાખ્યા હતા. આ ઘટનામાં સાત લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા
આ અકસ્માત વિશે જણાવવામાં આવ્યું છે કે ગુપ્તા પરિવારના સભ્યો દમોહ બાજુથી ઓટોમાં બંદકપુર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવી રહેલા એક લોડર ટ્રકે તેમને કચડી નાખ્યા હતા. ઈજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. કલેક્ટર સુધીર કોચરના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે જ્યારે 3 ઘાયલ છે, જેમાંથી 2ને જબલપુર રિફર કરવામાં આવ્યા છે.

પરિવારમાં હૈયાફાટ રુદન
દમોહના પોલીસ અધિક્ષક શરત કીર્તિ સોમવંશીએ જણાવ્યું કે આ ઘટનામાં સાત લોકોના મોત થયા છે અને કેટલાક લોકો ઘાયલ થયા છે. આ ઘટના કેવી રીતે બની અને તેનું કારણ શું છે તેની તપાસ કરવામાં આવી રહી છે. વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને જેસીબીની મદદથી બચાવ કામગીરી કરવામાં આવી હતી. તેમજ મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે એકાએક સત્ન મોતના પગલે તેમના પરિવારમાં હૈયાફાટ રુદન જોવા મળી રહ્યું છે.