દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી આ તારીખે મેઘરાજા ભૂક્કા બોલાવશે! યલો એલર્ટ જાહેર

Gujarat Rain Forecast: રાજ્યના પાંચ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્રના બે, તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના (Gujarat Rain Forecast) અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

વરસાદની આગાહી
સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના છુટાછવાયા સ્થળે પર ભારે વરસાદ વરસી શકે છે. તો પ્રવાસન સ્થળ દીવમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા આસોમાં અષાઢી માહોલ જામ્યો છે. શનિવારે અમદાવાદમાં બપોરના સમયે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાલડી, ઉસ્માનપુરામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો તો વાસણા, બોડકદેવમાં એક ઈંચથી વધુ વરસાદ વરસતા રસ્તાઓ થયા પાણી પાણી થઇ ગયા હતા.

આજે અમરેલી, ભાવનગર, ડાંગ, નવસારીમા આગાહી
હવામાન વિભાગે જાહેર કરેલી આગાહી મુજબ આજે 20મી ઓક્ટોબરે અમરેલી, ભાવનગર, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંતના કોઇપણ જિલ્લામાં વરસાદની કોઇ આગાહી આપવામાં આવી નથી. બીજી તરફ પાછોતરાવરસાદને કારણે કૃષિ પાકોને મોટાપાયે નુકસાનની ભીતી સેવાઈ રહી છે.

લાઠીમાં વીજળી પડતા પરિવારના પાંચ લોકોના મોત
અમરેલીના લાઠીમાં આંબરડી ગામે દેવીપૂજક પરિવાર પર આભ ફાટ્યું હતું. જેમાં ખેતી કામ કરી પરત ફરી રહેલા પરિવાર પર આકાશી વીજળી ત્રાટકતા પાંચ લોકોના મોત થયા હતા. મૃતકોમાં બે મહિલા સહિત ત્રણ બાળકોના સમાવેશ થાય છે. જેમાં ભારતી સાંથળીયા, શિલ્પા સાંથળીયા, રિદ્ધિ સાંથળીયા, રૂપાલી દલસુખ, રાધે સાંથળીયાનો સમાવેશ થાય છે.

2025 માં હવામાનમાં મોટા ફેરફારો આવશે
22 મી ઓક્ટોબરે પણ એ સિસ્ટમ મંગાળ ઉપસાગરમાં બની રહી છે. આ સિસ્ટમ લગભગ 22 મી ઓક્ટોબરે બંગાળ ઉપસાગરમાં આવશે અને ત્યાં આ મજબૂત સિસ્ટમ બનશે. ઉપરાંત લગભગ થાઈલેન્ડ બાજુથી આવતા અવશેષોના કારણે પણ બંગાળ ઉપસાગર સક્રિય રહેશે. જેના કારણે તારીખ 22 થી 26 માં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાઈ શકે છે. લગભગ તેની ગતિ 100 થી 120 km કે તેનાથી વધારે રહી શકે છે.પટેલે એમ પણ જણાવ્યું કે, 2025 માં હવામાનમાં મોટા ફેરફારો આવશે. આગામી વર્ષોમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં ગરમી વધારે રહેશે અને ચક્રવાતોની સંખ્યામાં વધારો થશે.