Mahakumbh Mela Shahi Snan: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંગમમાં ડૂબકી લગાવી, તેમની સાથે સીએમ અને સંતોએ પણ સંગમમાં સ્નાન કર્યું હતું. આ પછી શાહ જુના અખાડામાં સંતો અને ઋષિઓ સાથે રાત્રિભોજન કરશે. શાહ લગભગ 5 કલાક સુધી મહાકુંભમાં રહેશે.અમિત શાહનું (Mahakumbh Mela Shahi Snan) વિમાન સવારે 11.30 વાગ્યે બમરૌલી એરપોર્ટ પર ઉતર્યું હતું. સીએમ યોગી અને બંને ડેપ્યુટી સીએમ કેશવ મૌર્ય અને બ્રજેશ પાઠકે સ્વાગત કર્યું. શાહ અહીંથી BSF હેલિકોપ્ટરમાં દિલ્હી પબ્લિક સ્કૂલ (DPS) પહોંચ્યા. ત્યારબાદ કારમાં અરેલ ઘાટ ગયા.
અમિત શાહે સંગમમાં ડૂબકી
ગૃહમંત્રી અમિત શાહે વૈદિક મંત્રોના જાપ વચ્ચે સંગમમાં ડૂબકી લગાવી હતી. આ દરમિયાન બાબા રામદેવ પણ ઉપસ્થિત રહ્યા હતા. બાબા રામદેવના કહેવા પર સીએમ યોગીએ યોગ ગુરુ સાથે અલગથી સ્નાન પણ કર્યું અને નદીમાં ડૂબકી લગાવી હતી. આ પહેલા ગૃહમંત્રી અમિત શાહ સવારે 11 વાગ્યે બામરોરી એરપોર્ટ પહોંચ્યા હતા.
#WATCH केंद्रीय गृह मंत्री अमित शाह ने अपने परिवार के साथ, कई संतों और मुख्यमंत्री योगी आदित्यनाथ की मौजूदगी में प्रयागराज में महाकुंभ के दौरान त्रिवेणी संगम पर ‘आरती’ की। pic.twitter.com/HNz5YhC3DE
— ANI_HindiNews (@AHindinews) January 27, 2025
કુંભ સનાતન ધર્મના જીવન દર્શનનું પ્રદર્શન કરે છેઃ અમિત શાહ
નોંધનીય છે કે, વીડિયો શેર કરતા લખ્યું કે, “‘મહાકુંભ’ સનાતન સંસ્કૃતિના સતત પ્રવાહનું એક અનોખું પ્રતીક છે. કુંભ સનાતન ધર્મના જીવન દર્શનનું પ્રદર્શન કરે છે, જે સુમેળમાં મૂળ ધરાવે છે. હું પવિત્ર શહેર પ્રયાગરાજમાં એકતા અને અખંડિતતાના આ મહાન ઉત્સવમાં સંગમમાં ડૂબકી લગાવવા અને સંતો પાસેથી આશીર્વાદ મેળવવા માટે ઉત્સુક છું.’
#WATCH | #MahaKumbh2025 | Union Home Minister Amit Shah takes a holy dip at Triveni Sangam in Prayagraj, Uttar Pradesh.
Uttar Pradesh CM Yogi Adityanath and several saints are accompanying the Home Minister in the holy dip. pic.twitter.com/y42taPawFy
— ANI (@ANI) January 27, 2025
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ પણ ત્રિવેણી સંગમમાં કર્યું હતું પવિત્ર સ્નાન
મહત્વની વાત એ છે કે, અત્યાર સુધીમાં અનેક નેતાઓ મહાકુંભમાં આવીને પવિત્ર સ્નાનનો લ્હાવો માણ્યો છે. થોડા દિવસ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું હતું. ગંગા, યમુના અને સરસ્વતી નદીના સંગમ પર ભક્તો પાણીમાં ડૂબકી લગાવવા માટે આવે છે.
જે પાપોને શુદ્ધ કરવા અને મોક્ષ (મુક્તિ) આપવા માટે માનવામાં આવે છે. આ મહાકુંભનો મેળો 144 વર્ષે યોજાયો છે. જેમાં 10 કે 20 લાખ નહીં પરંતુ કરોડોની સંખ્યામાં ભક્તો આવી રહ્યાં છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App