Coconut Water Side Effects: શરીરમાંથી કમજોરી દૂર ભગાવવા અને સ્ફૂર્તિ લાવવા માટે નારિયેળ પાણી ખૂબ ઉપયોગી સાબિત થાય છે. તેનાથી શરીરનું સ્વાસ્થ્ય (Coconut Water Side Effects) પણ સુધરે છે. પરંતુ જો તમે અમુક રોગથી પીડાતાં હોય તો નારિયેળ પાણીનું સેવન ન કરવું જોઈએ.
નારિયેળનું સેવન
નારિયેળ પાણીમાં અનેક વિટામિન અને મિનરલ્સ હોય છે. તેનું સેવન કરવાથી શરીરને અનેક ફાયદા થાય છે. પરંતુ જો તમે અમુક રોગથી પીડાતા હોવ તો નારિયળ પાણીથી બોડીને નુકશાન થઈ શકે છે.
અપચો
જેમને અપચાની સમસ્યા હોય તેઓએ નારિયેળ પાણી પીવાનું ટાળવું જોઈએ.નહિ તો પેટમાં દુખાવો અથવા ઝાડા થઈ શકે છે. કારણ કે નાળિયેર પાણીમાં પોટેશિયમ હોય છે, જે પેટને નુકસાન પહોંચાડે છે.
ડાયાબિટીસ
જે લોકો ડાયાબિટીસથી પીડાતા હોય તેમને વારંવાર નારિયેળ પાણી પીવાનું ટાળવું જોઈએ. નહીં તો બ્લડ શુગર લેવલ વધી શકે છે, જેના કારણે બંને કિડનીને નુકસાન પહોંચી શકે છે.
બ્લડ પ્રેશર
જે લોકો હાઈ બીપીના દર્દી હોય તેમને ઘણીવાર નારિયેળ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ જો તમે વધારે પડતું નારિયેળ પાણી પીવો છો તો તમારું બ્લડ પ્રેશર ખૂબ જ ઘટી શકે છે. જેના કારણે તમારો જીવ પણ જોખમમાં મુકાઇ શકે છે.
ઇલેક્ટ્રોલાઇટ્સ
અમુક વખત નારિયેળ પાણી પીવામાં કોઈ નુકસાન નથી, પરંતુ જો તમે વધુ પડતું તેનું સેવન કરો છો તો તમારા શરીરમાં હાજર ઇલેક્ટ્રોલાઇટ્સનું સંતુલન બગાડે છે. જેના કારણે તમે બીમાર પડી શકો છો.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો:
- Trishul News Gujarati iPhone App