સુરતમાં વિધિના નામે તાંત્રિકે પરિણીતા સાથે કરી કામલીલા; સમગ્ર ઘટના જાણી ચોંકી ઉઠશો

Surat Tantrik News: સુરતમાં ભાગ્યોદય વિધિના નામે ભૂવાએ નજર બગાડ્યાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. ભરત કુંજડિયા નામના ઢોંગી ભૂવાની કામલીલા (Surat Tantrik News) બહાર આવતા બરોબરનો લોકોએ મેથીપાક ચખાડ્યા બાદ સરથાણા પોલીસ સ્ટેશનમાં પકડીને લઈ જવાયો છે, તેમજ આ મામલે પોલીસે ઊંડી તપાસ હાથ ધરી છે.

વિધિના નામે ભુવાએ કરી કામલીલા!
સુરત શહેરમાં ભાગ્યોદય વિધિના નામે દુષ્કર્મ કરાતા ભૂવાને પોલીસ સમક્ષ હાજર કરી દેવાયો છે. ભરત કુંજડિયા નામના ઢોંગી ભૂવાની કરતૂત બહાર આવી છે. સગી મામાની દીકરી પર ભૂવાએ નજર બગાડી હતી. વિધિ કરવાના બહાને ભૂવાએ મને જાગૃત કરી તારામાં પ્રવેશ આપ તેમ પીડિતાને કહ્યું હતું. ભૂવાએ પતિને બહાર મોકલી પરિણીતા પર દુષ્કર્મ આચર્યુ હતું. મામાની દીકરીને તેના જ ઘરમાં નિર્વસ્ત્ર કરી ભાગ્યોદય વિધિના નામે પરણિતાની આબરૂ લૂંટી હતી. પરિણીતાએ પતિને જાણ કરતાં મામલો બિચક્યો હતો. આ મામલે લોકોએ ભૂવાનું મુંડન કરી મોઢામાં ચંપલ મૂકાવી બરોબર મેથીપાક આપ્યા બાદ ફરિયાદ નોંધાવાઇ હતી. સરથાણા પોલીસે આરોપી ભૂવાને પકડી તપાસ હાથ ધરી છે.

“તમારા ભાગ્ય ખુલી ગયા છે”
આ અંગે મળતી માહિતી પ્રમાણે, સુરતના પુણાગામ વિસ્તારમાં રહેતી મૂળ અમરેલીની 42 વર્ષની પરિણીતા સાથે તેના ફોઈજીના દીકરા એવા ધારીના ચરખા ગામના ભુવાએ વિધિના બહાને દુષ્કર્મ આચર્યું હતું. ગત 19 જાન્યુઆરીના રોજ ભુવા તરીકે વિધિ કરતો ફોઈજીનો દીકરો ભરત કડવાભાઇ કુંજડીયા ( રહે.ચરખા,અમરેલી ) પિતરાઈ ભાઈ અતુલ, પુત્ર ધ્રૂવ અને સેવક સાથે સુરત આવ્યો હતો. બે દિવસ બાદ તેઓ પરિણીતાના પતિને લઈ સંબંધીઓને ત્યાં ગયા હતા. ઘરે પરત ફરતી વેળા ભરતે પતિ પાસે બજારમાંથી ફૂલ લેવડાવ્યા હતા અને ઘરે આવી જમીને રાતે 12.30 વાગ્યાની આસપાસ પરિણીતા અને તેના પતિને કહ્યું હતું કે તમારે યોગ પાકયો છે તેથી તમારા ભાગ્ય ખુલી ગયા છે. બાદમાં ભરતે વિધિનો સામાન મંગાવી પોતાની પાસેનો સામાન કાઢી વિધિમાં પરિણીતા અને તેના પતિને બેસાડી ઘરમાં અંધારૂં કરાવી દીધું હતુ.

પરિણીતા ભુવાની કરતૂતથી ડરી ગઈ
ભરતે પહેલા મંત્રો બોલાવ્યા હતા જે બાદ પરિણીતા અને તેના પતિ પાસે પણ મંત્રો બોલાવ્યા હતા. તેમની આંખો ઉપર રૂદ્રાક્ષ લગાડી બંનેને નિર્વસ્ત્ર કર્યા હતા. બાદમાં ભરતે બંનેને પોતાના ખોળામાં બેસાડી હાથપગ ધોઈને કપડાં પહેરવા કહ્યું હતું. આ દરમિયાન તે અચાનક ધુણવા લાગ્યો હતો અને પતિને રૂમમાંથી બહાર જવાનું કહ્યુ હતુ. જે બાદ પરિણીતાને અડપલાં કરી પોતાનું લિંગ જાગૃત કરાવવા હાથમાં આપી વિધિના ભાગરૂપે બળાત્કાર કર્યો હતો. જે બાદ પરિણીતા ગભરાઈ જતા ભુવાને ધક્કો મારીને રૂમની લાઇટ ચાલુ કરીને પતિને અંદર બોલાવ્યો હતો. જોકે, ત્યારે પરિણીતાએ પતિને આ અંગે કાંઇ જાણ કરી ન હતી. ભુવાએ જ્યારે વિધિ પતાવી અને તેમના ઘરેથી ગયો તે બાદ પરિણીતાએ પતિને આખી વાત જણાવી હતી.

ભાવનગરમાં પણ વધુ એક ભુવાનો કાંડ બહાર આવ્યો
તો બીજી બાજુ ભાવનગર પંથકમાં વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. પાલિતાણાની યુવતી દુષ્કર્મનો ભોગ બનતા સાવરકુંડલાના ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું. નિકુંજવાળા નામના ઇસમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે પાલિતાણા ટાઉન પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.