Betel Leaf Benefits: ઘરમાં પૂજાથી લઈને ઘણી જગ્યાઓ પર ઉપયોગમાં લેવાતા નાગરવેલના પાનના ઘણાં ફાયદા છે. આ પાન પાચન માટે પણ ફાયદાકારક (Betel Leaf Benefits) છે. કબજિયાતમાં પણ આ પાન ફાયદાકારક સાબિત થાય છે. ગેસ્ટ્રિક અલ્સરને પણ આ પાન ઠીક કરવામાં મદદરૂપ બને છે. આ સિવાય પાનના બીજા અન્ય ફાયદા પણ છે..
નાગરવેલના પાનના છે આટલા ફાયદા
મોઢા માટેઃ
નાગરવેલના પાનમાં એવા તત્વો હોય છે, જે બેક્ટેરિયાના પ્રભાવને ઓછો કરવામાં મદદરૂપ બને છે. જે લોકોને મોઢામાંથુ દુર્ગંધ આવતી હોય તેમના માટે આ પાન ફાયદાકારક છે. પાન ખાનારની લાળમાં એસ્કોર્બિક એસિડનું સ્તર સામાન્ય બની જાય છે, જેનાથી મોઢામાંથી દુર્ગંધ સંબંધીત બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે.
હેડેક અને વાગવા પરઃ
માથા પર આ પાનના પત્તાનો લેપ લગાવાથી માથાનો દુખાવો દૂર થઈ જાય છે. પાનમાં રહેલા એનાલજેસિક (દર્દ દૂર કરનારો) ગુણ માથાના દુખાવામાં આરામ આપે છે. વાગવા પર પાનનું સેવન કરવાથી ઘાને ભરવામાં મદદરૂપ બને છે.
થાક દૂર કરે છેઃ
પાનના પત્તાના રસમાં મધ ભેળવીને પીવાથી થાક અને નબળાઈ દૂર થઈ જાય છે. સાથે જ જો તમને તાવ હોય તો પાનમાં લવિંગ નાખીને ખાવ ફાયદો થશે.
આઠ અઠવાડિયામાં પાતળા થાવઃ
પાનના પત્તામાં કાળા મરીના બે દાણા સાથે ખાવ તો આઠ સપ્તાહમાં વજન ઘટે છે. કાળા મરી શરીરમાંથી મૂત્ર અને પરસેવો કાઢે છે. તેનાથી શરીરમાં વધારાનું પાણી અને ગંદકી નીકળી જાય છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App