જેતપુર નજીક પત્નીના અસ્થિ વિસર્જન કરી પરત ફરતાં પતિ અને સાઢુનું મોત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં સર્જાયો અકસ્માત

Jetpur Accident: રાજ્યમાં અકસ્માતની ઘટનાઓ છાશવારે બનતી રહે છે. દરરોજ ગુજરાતમાં અનેક અકસ્માતની ઘટના બને છે અને મોટા વહાન ચાલકોની (Jetpur Accident) ઓવર સ્પીડના કારણ રાહદારીઓ અથવા તો નાના વહાન ચાલકોના મોત નિપજે છે. જેતપુર-જૂનાગઢ રોડ પર અકસ્માતની ઘટના બની છે. આ ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે તો બાવળા ચાંગોદર હાઇવે પર અકસ્માત થતાં એક એક મહિલાનું મોત થયું છે. ટ્રક પાછળ કાર ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો.

જેતપુર-જૂનાગઢ રોડ પર અકસ્માતમાં 2 લોકોના મોત
જેતપુર જૂનાગઢ રોડ પર નવી સાંકળી ગામના પાટીયા પાસે બંધ આઈસર અને કાર વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. આ અકસ્માતમાં 3 લોકોને ઇજા પહોંચી છે તો 2ના ઘટના સ્થળે જ મોત નિપજ્યા છે. જેતપુર જૂનાગઢ રોડ ઉપર આવેલ રાજાણી ચાના કારખાના પાસે બંધ આઈસર પાછળ કાર ધડાકે ભર અથડાઈ હતી.

2 ઈજાગ્રસ્તોને જૂનાગઢ અને એકને જેતપુર સરકારી હોસ્પિટલે સારવાર અર્થ ખસેડાયા હતા. એક મૃતકને જેતપુર અને બીજાને પીએમ અર્થ જેતપુર ખાતે લઈ જવાયો છે. અકસ્માતમાં મૃત્યું પામેલ જયભાઈ રાજદેવના અર્થી સોમનાથ પધરાવી પરત રાજકોટ જતા હતા. અકસ્માતના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેતપુર તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરાઈ છે.

પરંતુ બનાવની કરૂણતા એ છે કે બંને મૃતક સાઢુભાઈઓને સંતાનમાં એક એક દીકરી છે અને હવે એક દીકરી માતાપિતા વિહોણી જ્યારે બીજી દીકરી પિતા વિહોણી થઈ ગઈ હતી. ઘટનાના પગલે કોણ કોને આશ્વાસન આપે તેવી સ્થિતિ સર્જાઇ છે.