મોદી સરકારની આ યોજના હેઠળ હજારો લોકો વર્ષે 36 હજાર રૂપિયા ઉપાડે છે, તમે પણ આ રીતે ઉઠાવો લાભ

જો તમે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરો છો અને વૃદ્ધાવસ્થામાં આર્થિક સંકટ અંગે ચિંતિત છો, તો હવે આ ચિંતા છોડી દો. કેન્દ્ર સરકાર હવે ઘરેલુ કામદારો, રિક્ષાચાલકો, ધોબી અને ખેતમજૂરોના વૃદ્ધાવસ્થામાં સહારો બનવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર દર વર્ષે આવા લોકોને 36 હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. તેનો લાભ લેવા માટે તે ખૂબ જ સરળ રીતે તેની અરજી કરી શકાય છે.

પ્રધાનમંત્રી શ્રમ યોગી માન ધન યોજના

સરકાર તરફથી ઘરેલું કામદારો, ધોબી, રિક્ષાચાલકો અને ખેતમજૂરો જેવા લોકો માટે ‘વડાપ્રધાન શ્રમ યોગી માન ધન યોજના’ (PM-SYM)ની જોગવાઈ છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 60 વર્ષની વય પછી વાર્ષિક 36 હજાર રૂપિયાનું પેન્શન આપે છે. જેની મદદથી તમે સરળતાથી તમારો ખર્ચો ચલાવી શકો છો. સરકારી આંકડા મુજબ દેશમાં 42 કરોડથી વધુ કામદારો છે,જેમને આ યોજના હેઠળ લાભ મળી શકે છે.

અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજો 

1. આધાર કાર્ડ

2. IFSCમાં બચત બેંક ખાતું / જન-ધન ખાતું

3. વેલિડ મોબાઈલ નંબર

આ યોજનાનું નામ પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન યોજના છે. કેન્દ્ર સરકારે 18 થી 40 વર્ષની વયના લોકો માટે પ્રધાનમંત્રી શ્રમ યોગી માન-ધન યોજના શરૂ કરી હતી. જો તમારી માસિક આવક 15000 રૂપિયા છે અને વય 40 વર્ષથી ઓછી છે, તો તમે તેનો લાભ ખૂબ જ સરળતાથી લઈ શકો છો. આ મેગા પેન્શન યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે છે. આ કામદારોને 60 વર્ષ બાદ દર મહીને રૂ. 3 હજાર પેન્શન મળશે અને જો કામદારનુ મૃત્યુ થાય તો તેને જેનુ વારસદાર તરીકે નામ લખાવ્યુ હશે તેને દર માસે રૂ. 1,500 પેન્શન મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *