શું કોરોના વચ્ચે કોઈ નવો વાયરસ આવ્યો?- અહિયાં એકસાથે હજારો જીવના મૃત્યુ થતા લોકોમાં ડરનો માહોલ

તળાવના કિનારે એક સાથે હજારો માછલીઓ મળેલી દેખાય તો લોકોમાં ડર ફેલાઈ ગયો. માછલીઓના મરવાની ખબર જિલ્લા તેમજ નગર પ્રશાસનને પણ આપવામાં આવી પરંતુ તેના…

તળાવના કિનારે એક સાથે હજારો માછલીઓ મળેલી દેખાય તો લોકોમાં ડર ફેલાઈ ગયો. માછલીઓના મરવાની ખબર જિલ્લા તેમજ નગર પ્રશાસનને પણ આપવામાં આવી પરંતુ તેના પર કશું થયું નથી. હવે પરિસ્થિતિ એવી બની છે કે મરેલી માછલીઓની દુર્ગંધ રહેણાંક વિસ્તારમાં ફેલાઈ ચૂકી છે. સાથે જ એ ડર પણ સતાવી રહ્યો છે કે કોરોના સમયમાં કંઈક નવી બીમારી ન ફેલાય જાય.

સવાઈ માધોપુર જિલ્લાના ગંગાપુર સીટી કસ્બાના તળાવમાં એક સાથે હજારો માછલીઓ મળવાને કારણે આસપાસના લોકોનું જીવન મુશ્કેલીમાં મુકાઇ ગયું છે. તળાવની પાસે વાલ્મિકી વસ્તીમાં સેંકડો લોકો વસવાટ કરે છે.

તળાવમાં માછલીઓના મરવાનું કારણ લોકોની સમજણ માં નથી આવી રહ્યું. એક સાથે હજારો માછલીઓ મરવાને કારણે ખૂબ આવી રહેલી દુર્ગંધના કારણે શ્વાસ લેવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે.

આવા સમયમાં જ્યારે દેશમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે, ત્યારે લોકોને એવો ડર પણ સતાવી રહ્યો છે કે ક્યાંક માછલીઓ મરવાના પાછળ કોઈ રહસ્યમય કારણ તો નથી ને.

વાલ્મીકિ વસ્તીમાં વસવાટ કરી રહેલા લોકોએ તેની ફરિયાદ જિલ્લા તેમ જ નગર પ્રશાસનને કરી છે, પરંતુ હજુ સુધી સમસ્યાનું કોઇ સમાધાન નથી થઇ શક્યું. એવામાં લોકોને મોટી મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *