ખેડૂતના માથે તૂટીપડી મોટી આફત- ખેડૂ ખેતરમાં જ મુખ્યમંત્રીની પૂજા કરવા થયો મજબુર

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ન્યાય ન મળવાને કારણે પરેશાન થયેલો એક મુસ્લિમ ખેડૂત પોતાના ખેતરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી…

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ન્યાય ન મળવાને કારણે પરેશાન થયેલો એક મુસ્લિમ ખેડૂત પોતાના ખેતરમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની તસવીર રાખી પૂજા કરવાની શરૂ કરી દીધી.

હકીકતમાં આ મામલો શાહજહાપુરના રોજા પોલીસ સ્ટેશન વિસ્તારના હથોડા ગામનો છે. અહીંયા રહેતા વસીમ અન્સારીનો આરોપ છે કે તેના ખેતરે જવાના રસ્તા પર એક ફેક્ટરીના માલિકે દિવાલ બનાવી દીધી છે. પોલીસ પ્રશાસન પાસેથી મદદ ના મળવાને કારણે યુવક હવે એમ યોગી આદિત્યનાથ પાસેથી મદદની માંગણી કરી રહ્યો છે.

એટલું જ નહીં યુવકનું કહેવું છે કે આવતી વખતે હવે તે મુખ્યમંત્રીના નિવાસસ્થાને સામે બેસી યોગી આદિત્યનાથની પૂજા કરશે. તેનું કહેવું છે કે લગભગ બાર ખેડૂતોના ખેતર જવા માટેના રસ્તા પર એક ફેક્ટરીના માલિકે દિવાલ બનાવી દીધી છે.

વસીમ અન્સારીનું કહેવું છે કે કોરોના મહામારી ને કારણે બીજા ખેડૂતો ભૂખ હડતાલ નથી કરી શકતા, એટલા માટે કે તેઓ તમામ નિયમોનું પાલન કરી આ પ્રદર્શન કરી રહ્યા છે. તેણે પૂજા કરતી વખતે માસ્ક પણ પહેરી રાખ્યું હતું.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પૂજા કરતા યુવકની આ તસવીર સોશિયલ મીડિયા પર પણ ખૂબ વાયરલ થઇ રહી છે. વસીમ અન્સારીએ ખૂબ અનોખી રીતે પ્રદર્શન કરતાં સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવાની કોશિશ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *